શોધખોળ કરો
ધો. 10-12ના વિદ્યાર્થીઓ વોટ્સએપનો ઉપયોગ કરી જાતે સુધારશે પરીક્ષાફોર્મ, જાણો કઈ રીતે
1/5

ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે આગામી માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે, પરંતુ કલાસના ૬૬થી વધુ વિદ્યાર્થીઓનાં ફોર્મ પરીક્ષા માટે ભરવાનાં થશે તો શાળાએ શિક્ષણ વિભાગની મંજૂરી લેવી પડશે. કારણ કે વર્ગદીઠ વિભાગે ૬૬ વિદ્યાર્થીઓની મંજૂરી આપેલી છે. ૬૬ વિદ્યાર્થીનાં વર્ગદીઠ ફોર્મ ભરાવાની સાથે જ લાઈન ઓટોલોક થઈ જશે.
2/5

વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ગત વર્ષે કરવામાં આવેલી રજૂઆને ધ્યાનમાં રાખને ચાલુ વર્ષે ભૂલોને તાત્કાલિક સુધારી દેવા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ કે વાલીને મોબાઈલ પર ફોર્મ મોકલી દેવામાં આવશે. કોઈ વિદ્યાર્થીનો મોબાઈલ નંબર લખવાનો રહી ગયો હશે કે તે સાદો ફોન વાપરતો હશે તેવા સંજોગોમાં શાળાને વિદ્યાર્થીનું ફોર્મ મોકલી આપવામાં આવશે, જેમાં શાળાની જવાબદારી રહેશે કે તે વિદ્યાર્થી પાસે તેને રિ-ચેક કરાવી લે.
Published at : 06 Oct 2016 02:44 PM (IST)
Tags :
GSEBView More





















