શોધખોળ કરો
વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ તરીકે કોર્ટે ક્યા આચાર્યના દાવાને રાખ્યો માન્ય? જાણો વિગત
1/7

1984માં અજેન્દ્રપ્રસાદની ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. અજેન્દ્રપ્રસાદને દક્ષિણ દેશ વિભાગ સત્સંગ મહાસભા દ્વારા 31 જાન્યુઆરી 2003ના દિવસે ગાદીસ્થાન પરથી પદભ્રષ્ટ કરવામા આવ્યા હતા. તેમના પર આરોપ મૂકાયો હતો કે તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા નથી આપતા તથા ચરણભેટ પણ જમા નથી કરાવતા.
2/7

અમદાવાદઃ ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિને લઇને ચાલી રહેલા વિવાદમાં રાકેશ પ્રસાદની તરફેણ ચુકાદો આવ્યો છે. સત્સંગ મહાસભાએ રાકેશપ્રસાદ મહારાજની આચાર્ય પદે નિમણૂંક કરી હતી, તેને નડિયાદ સેશન્સ કોર્ટે બહાલી આપી રાકેશ પ્રસાદ જ આચાર્ય પદ પર રહેશે તેવું જણાવ્યું છે.
Published at : 17 Jul 2018 10:48 AM (IST)
View More



















