શોધખોળ કરો
સારંગપુર: કષ્ટભંજન હનુમાનજીને સાંતાક્લોઝ જેવા કપડા પહેરાવતા વિવાદ, જાણો સમગ્ર મામલો
1/3

મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ કહ્યું, આ વાઘા અમેરિકામાં રહેતા હરિભક્ત ધરમભાઈએ મોકલાવેલા છે. તેમને સારા ભાવથી વાઘા અર્પણ કર્યા છે. તેમને ત્યાંથી ગરમ વાઘા બનાવીને મોકલાવ્યા છે. દાદાને વાઘા દિવસમાં બે વખત બદલવામાં આવે છે. ઘણાં બધા ભક્તો દાદાને વાઘા અર્પણ કરે છે. માટે પેન્ડિંગ પડેલા વાઘા દિવસમાં દાદાને બે વખત બદલવામાં આવે છે.
2/3

કડકડતો શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ભગવાનને પણ ઠંડી લાગે નહીં એટલા માટે મંદિર દ્વારા હનુમાનજીને લાલ રંગના ગરમ વસ્ત્રો પહેરાવાયા છે. વસ્ત્રોની કિનારી પર સફેદ રંગની બોર્ડર છે. જેને સાંકળીને લોકો સાંતાક્લોઝ ગણાવી રહ્યા છે.
Published at : 30 Dec 2018 05:17 PM (IST)
View More





















