શોધખોળ કરો
H-TAT શિક્ષકોના કેસમાં હાઈકોર્ટે આપ્યો શું મોટો ચુકાદો? જાણો વિગત
1/4

આ કેસમાં રાજ્ય સરકાર વતી થયેલી અપીલમાં મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમાર શાહે એવી દલીલ કરી હતી કે, સિંગલ જજ દ્વારા આ મામલે વચગાળાનો સ્ટે ઓર્ડર આપ્યો છે અને તેથી સરકાર આ કેસના પ્રતિવાદી શિક્ષકોના સ્થાને નવા શિક્ષકોને હેડ ટીચર્સ તરીકે મુકી શકતી નથી. જેના કારણે વહીવટી કામમાં મુશ્કેલી થઈ રહી છે. એટલું જ નહીં જે 22 શિક્ષકો છે તે પૈકી માત્ર સાતે એચ-ટાટની પરીક્ષા આપી છે અને તેઓ ક્વોલિફાય થઇ શક્યા નથી. જ્યારે કે અન્યોએ કોઇ પણ પ્રકારની વિગતો રજૂ કરી નથી. જેથી સિંગલ જજે આ અરજદાર શિક્ષકો કોઇ રાહત મેળવવાની પાત્રતા ધરાવતા નથી, તે તથ્યને ધ્યાનમાં ના લઇને ભારે ભૂલ કરી છે. તેથી સ્ટે ઓર્ડરને રદ કરી અપીલને ગ્રાહ્ય રાખવામાં આવે.
2/4

આ કેસમાં હાઇકોર્ટના સિંગલ જજે અરજદારોને વચગાળાનો આદેશ કરી સરકારની કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો. જેને રાજ્ય સરકારે પડકાર્યો હતો અને રજૂઆત કરી હતી કે, વચગાળાના આ આદેશના પગલે નવા નિયમ અનુસાર હેડ ટીચર્સની ભરતી નથી થઈ શકતી અને વહીવટી કામ અટવાઈ પડ્યું છે. આ પ્રકારની રજૂઆતો અને અગાઉ પણ હાઇકોર્ટે શિક્ષકોની પિટિશનોને રદ કરવાનો આદેશ કર્યો હોઇ તે તમામ સંજોગોને ધ્યાને લઇ ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારની અપીલ ગ્રાહ્ય રાખી સિંગલ જજના આદેશને ભૂલભરેલો ગણી રદ કર્યો હતો.
Published at : 11 Sep 2017 12:33 PM (IST)
View More






















