શોધખોળ કરો
પાટીદાર ધારાસભ્યોના કોંગ્રેસમાંથી રાજીનામા મુદ્દે શું કહ્યું હાર્દિક પટેલે, જાણો
1/4

હાર્દિક પટેલે રાજયસભાની ચૂંટણી અંગે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા સમાજને જે અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે કોઇ સમાજદ્રોહીને મત નહીં આપવા અપીલ કરી છે. પોતે કોંગ્રેસના સમર્થક નથી તેવી સ્પષ્ટતા પણ કરી હતી. પ્રવકતા વરૂણ પટેલે જણાવ્યું છે કે, કોંગ્રેસના જે પાટીદાર ધારાસભ્યો જોડાયા છે તેઓ અંગત સ્વાર્થ કે મજબૂરીથી જોડાયા છે તે સમાજ સાથેના દ્રોહ સમાન છે. સમાજ તેમને માફ નહીં કરે અને ૨૦૧૭ની ચૂંટણીમાં સમાજ આવા ધારાસભ્યોનો હિસાબ કરશે.
2/4

પાસના કેટલાક નેતાઓએ તેના બદલામાં વિધાનસભાની ટિકિટ માગી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક મત વિસ્તારનો સમાવેશ થાય છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ આ અંગે હાઇ કમાન્ડને રજૂઆત કરીને જવાબ આપશે તેવી ખાતરી આપી છે. ૨૯મી જુલાઇ સુધી કોંગ્રેસ પાટીદારોને અનામત અંગે સ્ટેન્ડ કલીયર કરવા પણ પાસ દ્વારા કહેવામાં આવ્યું છે.
Published at : 28 Jul 2017 11:48 AM (IST)
View More























