શોધખોળ કરો
સ્વરૂપવાન યુવતી અને યુવકને એક બીજા સાથે પ્રેમ સંબંધ બંધાયા પછી બન્નેએ શું કર્યું, જાણીને ચોંકી જશો
1/4

ત્યાર બાદ મહિલાએ પોતાના મિત્ર રેહાન સરિફ ગનીને બોલાવી તેને ઘટનાની જાણ કરી હતી અને તેની મદદ લઈ તેની સાથે બાઈક પર સવાર થઈ પ્રેમી અને પ્રેમિકા સાથે મૃતદેહ જોવા ગયા હતા જ્યાં પોલીસ અને લોકોને જોઈ હેબતાઈ ગયા હતા. જોકે પોલીસે સમગ્ર મામલે આરોપી મહિલા અને પ્રેમી સાથે મદદ કરનારની ધરપકડ કરીને હત્યાનો ગુનો નોંધ્યો હતો.
2/4

મહિલા અને પ્રેમીએ ગતરાત્રીના આવેલા જુના પ્રેમીને તિક્ષ્ણ હથિયારથી માથાના ભાગે મારીને હત્યા કરી દીધી હતી. ગભરાયેલા હત્યારાઓએ જુના પ્રેમીનો મૃતદેહ નવસારીના વિરાવળ ગામ ખાતે આવેલ પૂર્ણા નદીના બ્રીજ પર છોડીને ફરાર થઈ ગયા હતા અને ત્યાંથી પરત આવી લોહીના ડાઘાઓ સાફ કર્યાં હતા.
3/4

ત્યારબાદ આ સ્વરૂપવાન મહિલાનો નવો પ્રેમી મનીષ પ્રવીણભાઈ પરમારે મહિલાના જીવનમાં પ્રેમના અંકુર જગાવ્યા હતા અને બન્ને એકબીજાના પ્રેમમાં બંધાયા હતા. પરંતુ જૂનો પ્રેમી પ્રેમિકાને ભૂલી શક્યો ન હતો જેના કારણે તે પ્રેમિકાના ઘરે જઈને હેરાન કરતો હતો.
4/4

નવસારીના વિજલપોરની વનગંગામાં રહેતી જયાબેન બોરિયાનું લગ્ન જીવન વધુ ન ટકતાં તેને મોહમ્મદ મોકીદ મોહમ્મદ મોરના સાથે આંખ મળી જતાં પ્રેમનો ફણગો ફૂટ્યો હતો. મોહમ્મદ મોકીદ મૂળ યુપીના અને સુરતમાં સાથે નોકરી કરતો હોવાથી પ્રેમ સંબંધ બંધાયો હતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે છેલ્લા 9 મહિનાથી બન્ને વચ્ચેનો પ્રેમ તૂટી ગયો હતો.
Published at : 09 Jan 2019 08:50 AM (IST)
Tags :
Navsari PoliceView More





















