આઝાદાની લડાઈમાં શહીદ ભગત સિંહનો જે ફાળો છે તેના વિશે બધા જ જાણે છે. દેશના લોકો આજે પણ ભગત સિંહનું નામ ખૂબ આદરથી લે છે અને સન્માન કરે છે. આજે જ્યારે તેમની ગન પ્રદર્શન માટે મૂકવામાં આવી તો તેને જોવા માટે મોટી સંખ્યામાં મ્યૂઝિયમમાં લોકો ઉમટી પડ્યા હતા.
2/2
ભગત સિંહે પોતાની જે ગનથી બ્રિટિશ એએસપી ઓફિસર જોન સેન્ડર્સને 17 ડિસેમ્બર 1928ના રોજ ગોળી મારી હતી તેને જોવાની સોનેરી તક આખરે લોકોને મળી જ ગઈ. અંદાજે 90 વર્ષ બાદ શહીદ ભગત સિંહની પિસ્તોલને સ્ટોર રૂમમાથી બહાર કાઢીને ડિસ્પ્લે માટેલગાવવામાં આવી છે. સિંહની .32 mmની કોલ્ટ ઓટોમેટિક ગન ઇન્દોર સ્થિત સીએસડબલ્યૂટી બોર્ડર સિક્યુરિટી ફોર્સના રેઓટી ફાયરિંગ રેન્જમાં ડિસ્પ્લે પર લગાવવામાં આવી છે.