શોધખોળ કરો
તમિલનાડુ: વેદાંતાના કૉપર પ્લાન્ટનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે ચલાવી ગોળી, 11ના મોત
1/8

સ્થાનિક લોકો છેલ્લાં ઘણાં સમયથી સ્ટરલાઈટ પ્લાન્ટના વિસ્તારનો વિરોધ કરી રહ્યાં હતા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પ્લાન્ટના કારણે વિસ્તારનું પાણી દૂષિત થઈ ગયું છે. વાયુ પ્રદુષણ અને અનેક પ્રકારની બીમારીઓ પણ ફેલાઈ રહી છે. આ જાન્યુઆરીમાં અહીંના લોકોને ખબર પડી કે સ્ટરલાઇટ વધુ એક પ્લાન્ટ લગાવવા જઈ રહ્યા છે. તેને લઈને લોકો વધુ વિરોધ કરવા લાગ્યા અને 12 ફેબ્રુઆરીએ પ્રદર્શનકારીઓ તૂતીકોરિન પહોંચ્યા હતા, પ્રદર્શનકારિઓ પ્રમાણે 24 માર્ચે બે લાખ લોકો પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ પ્રદર્શનને સેલિબ્રિટીઓ અને રાજનેતાઓ પણ સમર્થન કરી ચુક્યાં છે.
2/8

નવી દિલ્હી: તમિલનાડૂના તૂતીકોરિનમાં વેદાંતા સ્ટરલાઇટના પ્લાંન્ટને બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે મંગળવારે હિંસક અથડામણ થતા 11 લોકોના મોત નીપજ્યા છે. રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારને દસ લાખ અને ઈજાગ્રસ્તોને ત્રણ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને સરકારી નોકરી આપવાનું પણ વચન આપ્યું છે.
Published at : 22 May 2018 10:16 PM (IST)
Tags :
Tamil NaduView More





















