શોધખોળ કરો
લોકસભા બાદ સવર્ણ અનામત બિલ રાજ્યસભામાં પણ પાસ, 165 સાંસદોએ બિલના પક્ષમાં મત આપ્યો
1/4

કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોતે ખરડાને રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બિલ ગઇકાલે લોકસભામાં પસાર થયું હતું. લોકસભામાં ફક્ત ત્રણ સભ્યોએ જ બિલનો વિરોધ કર્યો હતો. આ બિલ પર ચર્ચા દરમિયાન કોગ્રેસ સાંસદ સિબ્બલે કહ્યું હતું કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમુદાયને અનામત છે પરંતુ જ્યારે આર્થિક રીતે કમજોર વર્ગને અનામત આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ બિલમાં 5-10 હજાર રૂપિયા કમાવનાર દલિત પરિવાર કમજોર વર્ગનો નથી પરંતુ આઠ લાખ રૂપિયા કમાવનાર નબળા વર્ગના છે. સિબ્બલે કહ્યું કે, આ બિલ સુપ્રીમ કોર્ટના નવ જજોની પીઠના વિરુદ્ધમાં છે. એટલા માટે બંધારણમાં સંશોધન કરી શકાય નહીં.
2/4

કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, અગાઉ કોગ્રેસે કેમ સવર્ણ જાતિઓને અનામત આપ્યું નહી. અમે આપવા જઇ રહ્યા છીએ ત્યારે તમે સવાલ ઉઠાવી રહ્યા છો. આ બંધારણના મૌલિક અધિકારમાં પરિવર્તન છે. આ કેન્દ્ર નહી પરંતુ રાજ્ય સરકારની નોકરીઓમાં પણ લાગુ થશે. સમર્થન કરવું છે તો પુરતું કરો. મોદી સરકારમાં હિંમત છે કે તેઓ ગરીબોના તમામ વર્ગની ચિંતા કરે છે. જાતિગત અનામત પર સુપ્રીમ કોર્ટે 50 ટકા સીમા નક્કી કરી છે જ્યારે આર્થિક આધાર પર અનામત માટે કોઇ સીમા નથી.
Published at : 09 Jan 2019 08:07 PM (IST)
View More





















