હાલ કોઇપણ વિભાગમાં થતી ૧૪ નિયુકિતમાં અનુ.જાતિને મળતા ૧પ ટકા અનામતના હિસાબથી બે પદ અનામત રખાય છે પરંતુ વાસ્તવિકતામાં નીચલા કેડરમાં અત્યારે આ વર્ગના લોકોને ફકત એક જ પદ મળી રહ્યુ છે પરંતુ નવા પ્રસ્તાવ મુજબ હવે નીચલા કેડરના કર્મચારીઓને પ્રમોશનમાં બે પદ એસસી માટે અનામત રાખવા પડશે. કાર્મીક વિભાગે માન્યું હતું કે વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં હજુ પણ એસસી અને એસટી માટે ૧પ અને ૭.પ ટકાના અનામતની સીમા સુધી નથી પહોંચી શકાયુ.
2/5
તાજેતરમાં કાર્મીક વિભાગે આ મામલે બનેલી પ્રધાનોની ઉચ્ચકક્ષાની સમિતિ સમક્ષ એક પ્રેઝન્ટેશન કર્યુ હતુ જેમાં ગૃહમંત્રી, નાણામંત્રી, કાનૂન મંત્રી, સામાજીક ન્યાયમંત્રી, આદિવાસી અને કાર્મીક વિભાગના મંત્રી પણ સામેલ હતા. પ્રધાનોની સમિતિથી પ્રમોશનમાં અનામત પર મહોર લાગતા જ પ્રસ્તાવ મંત્રીમંડળ સમક્ષ મોકલવામાં આવશે. અનામત માટે બંધારણમાં ફેરફારની જરૂર પડશે તેથી તેને સંબંધિત ખરડા પર મંત્રીમંડળની સ્વીકૃતિ લેવી પડશે. તે પછી બંધારણીય સુધારા ખરડો સંસદમાં રજૂ કરાશે.
3/5
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે એસસી અને એસટી જ્ઞાતિના લોકોને સમાન અવસર અને તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે કે તેમના માટે પ્રમોશનમાં અનામતની સુવિધા રાખવામાં આવે. સરકારના અનેક કેડરમાં એસસી અને એસટી વર્ગના લોકોની ભાગીદારી બંધારણમાં તેમના માટે નક્કી સીમાથી પણ ઓછી છે તેથી સમયની માંગ છે કે જયાં સુધી અનામત નક્કી સીમા સુધી પહોંચી ન જાય તેઓને આ લાભ મળતા રહે.
4/5
એક રિપોર્ટ પ્રમાણે, સરકારના કાર્મીક વિભાગે પ્રમોશનમાં અનામતના મામલે એમ.નાગરાજ વિરુદ્ધ કેન્દ્ર સરકારના મામલામાં સુપ્રીમ કોર્ટના ફેંસલાને અમલમાં લાવવા માટે બનાવવામાં આવેલા રિપોર્ટ અંગે સહમતી દર્શાવી છે.
5/5
નવી દિલ્હીઃ સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવા મામલે સરકાર સહમત થઇ ગઇ છે. સરકારનું માનવું છે કે તમામ વિભાગોમાં ખાસ કરીને નીચલા કેડરમાં અનુ.જાતિ (એસસી) અને અનુ.જનજાતિ (એસટી)ના લોકો માટે નક્કી સીમા સુધી અનામતનો લાભ અપાવવો જોઇએ. હાલમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં એસસી અને એસટી માટે ૧પ ટકા અને ૭.પ ટકા કવોટા જ પુરો થઇ શકતો નથી. કેન્દ્ર સરકારનો આ નિર્ણય રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે કારણ કે સરકારના આ પગલાથી બસપા જેવા રાજકીય પક્ષોના મુદ્દાઓને સમાપ્ત કરી નાંખશે.