શોધખોળ કરો
કેન્દ્રીય કર્મચારીઓને ઝટકોઃ સરકારે અડધો ડઝનથી વધુ એડવાન્સ કર્યા સમાપ્ત
1/5

કાર, સ્કુટર અને મોપેડ ખરીદવા માટે મળતુ એડવાન્સ પણ બંધ થઇ ગયુ છે. જો કે આ માટે કર્મચારીઓને વ્યાજ આપવુ પડતુ હતુ. કોમ્પ્યુટર ખરીદવા માટે મળતા એડવાન્સના નિયમ બદલાયા છે. હવે કોમ્પ્યુટર ખરીદવા માટે પ૦,૦૦૦ રૂ. સુધીનું એડવાન્સ મળશે. જો કે કોઇ એક કર્મચારી નોકરીના ગાળામાં પાંચવાર જ કોમ્પ્યુટર માટે એડવાન્સ લઇ શકશે. આ સુવિધા તમામ સરકારી કર્મચારીઓને મળશે.
2/5

નવી દિલ્હી: નાણા મંત્રાલયે કેન્દ્રીય કર્મચારીઓને વ્યાજમુકત મળતી ૭ જેટલી સ્કીમો બંધ કરી છે. કેન્દ્રીય કર્મચારીઓને હવે કાર, સાઇકલ અને ગરમ કપડા વગેરે ખરીદવા માટે એડવાન્સમાં વ્યાજમુકત લોન નહી મળે. ૭માં વેતનપંચની ભલામણો અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ઇલાજ માટે એડવાન્સ મળશે. નાણા મંત્રાલયે કહ્યુ છે કે, સાઇકલ ખરીદવા, તહેવારોમાં ખર્ચ કરવા માટે અને કુદરતી આફત વખતે અપાતુ વ્યાજમુકત એડવાન્સ હવે બંધ કરી દેવાયુ છે.
Published at : 08 Oct 2016 12:17 PM (IST)
Tags :
7th Pay CommissionView More





















