આ સિક્કાના મધ્યમાં ‘લાયન કેપિટલ ઓફ અશોક પિલ્લર) અને દેવનગરી સ્ક્રિપ્ટમાં તેની નીચે ‘સત્યમેવ જયતે’ જોતરાયેલું હશે. તેની પર રૂપિયાનું પ્રતીય અને રૂપિયા ૧૦૦નું મૂલ્ય દર્શાવતો આંકડો પણ હશે.’ સિક્કાના પાછળની બાજુ ડો. એમજી રામચંદ્રનનું પોર્ટ્રેટ મધ્યમાં હશે. આ સિક્કાનું વજન ૩૫ ગ્રામનું હશે.
નવી દિલ્હીઃ આરબીઆઈ દ્વારા નવી નોટ જારી કર્યા બાદ હવે ટૂંકમાં જ 100 રૂપિયાનો સિક્કો લાવવાની તૈયારી છે. નાણાં મંત્રાલયે 100 અને 5 રૂપિયાના નવા સિક્કા જારી કરવા માટે એક નોટિફિકેશન જારી કર્યું છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દક્ષિણ ભારતના સુપરસ્ટાર રહેલ ડો. એમજી રામચંદ્રનની જન્મ શતાબ્દીના અવસરે આ સિક્કો જારી કરવામાં આવશે.