નવી દિલ્હીઃ ભારતીચય નૌસેનાના વિસ્તારમાં મોટી નૌસૈન્ય તાકાતોની સાથે અંડમાન-નિકોબાર ટાપુ પર આઠ દિવસની નેવી એક્સરસાઇઝ શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં વધતા તનાવની વચ્ચે આ આયોજન કરવામાં આવ્યું છે. એકબાજુ ચીન હિન્દ મહાસાગરમાં પ્રભાવ વધારવાની કોશિશ કરી રહ્યું છે, તો બીજીબાજુ માલદીવ અને શ્રીલંકામાં ઇમર્જન્સીની પરિસ્થિતિ છે. આ એક્સરસાઇઝથી ચીનને મોટો પડકાર મળી રહ્યો છે.
2/8
એક્સરસાઇઝના દસમી એડિશનનો ઉદેશ્ય ક્ષેત્રિય સહયોગ વધારવાનો અને સમુદ્રી માર્ગમાં અવૈધ ગતિવિધીઓ સામે લડવાનો છે.
3/8
તબાહી મચાવવા વાળા ચીની જહાજોએ સપોર્ટ ટેન્કર્સની સાથે હિન્દ મહાસાગરમાં પ્રવેશ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચીને નૌસેના પોતોમાં એક એવું પોત પણ સામેલ કર્યં છે જેના પરથી વિમાન, હેલિકૉપ્ટર ઉતરી શકે છે.
4/8
અગાઉ ફેબ્રુઆરીમાં ચીનના 11 યુદ્ધ જહાજોએ પૂર્વીય હિન્દ મહાસાગરમાં પ્રવેશ કર્યો હતો, આ દરમિયાન ભારતીય નૌસેના અને ચીની નૌસેનાની વચ્ચે અંતર ઘણું ઓછુ રહી ગયું હતું. આ એક્ટિવિટી એવા સમયે સામે આવી જ્યારે માલદીવ રાજકીય સંકટનો સામનો કરી રહ્યું હતું.
5/8
ઇન્ડિયન નેવી ઓફિસર્સે કહ્યું કે એક્સરસાઇઝમાં 28 પોત ભાગ લઇ રહ્યાં છે જેમાં 17 પોત ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, સિંગાપુર, શ્રીલંકા અને થાઇલેન્ડના છે.
6/8
નૌસેનાના સુત્રોએ કહ્યું કે દેશોના પ્રતિનિધિ ક્ષેત્રિય સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરશે અને ચીનના વધતા દબદબા પર પણ ચર્ચા કરવામાં આવશે.
7/8
નૌસેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘પોતો ઉપરાંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય આયોજનમાં 16 દેશોના 39 પ્રતિનિધિ સામેલ થશે, જેમાં 1995માં શરૂ થયા બાદ આ સૌથી મોટો અભ્યાસ સાબિત થશે.’
8/8
દ્વિવાર્ષિક એક્સરસાઇઝનું પ્લાનિંગ માલદિવ અને શ્રીલંકામાં ઇમર્જન્સી લગાવવાના ચીનના વધતા દબદબાની વચ્ચે થઇ રહ્યું છે.