શહીદોને શ્રદ્ધાંડલિ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ઇસ્તાના મર્કેકા પહોંચ્યા, અહીં રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમનુ સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદીને રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું.
5/8
પાંચ દિવસની યાત્રામાં પહેલા તબક્કામાં પીએમ મોદી મંગળવારે સાંજે જકાર્તા પહોંચ્યા, ત્યારબાદ આજે સવારે સૌથી પહેલા કાલીબાટા નેશનલ હીરો સિમેટ્રી ગયા અને શહીદોને શ્રદ્ધાંડલિ આપી. અહીં પીએમ મોદીએ વિઝીટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો.
6/8
તાજેતરમાં જ થયેલા આતંકવાદી હુમલામાં ઇન્ડોનેશિયાના નિર્દોષ લોકોના માર્યા જવાનું મને દુઃખ છે. ભારત આ પ્રકારના હુમલાની સખત નિંદા કરે છે. ભારત ઇન્ડોનેશિયાની સાથે મજબૂતીથી ઉભુ છે. આતંકવાદ સામે લડવા માટે વિશ્વ સ્તર પર કરાઇ રહેલા પ્રયાસોમાં હજુ વધુ ઝડપ લાવવાની આવશ્યકતા છે.
7/8
ભારત-ઇન્ડોનેશિયામાં તાજેતરના નિવેદન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ મહાન અને સુંદર દેશની મારી પહેલી યાત્રા છે અને આ યાત્રા શાનદાર આયોજન માટે રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કરું છું. જેવી રીતે મારુ સ્વાગત કરાયું તે મને ખુબ જ ગમ્યુ છે.
8/8
નવી દિલ્હીઃ ત્રણ દેશોની વિદેશ યાત્રાના પહેલા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. આજે રાજધાનીમાં પીએમ મોદી કેટલાય કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન અહીંથી ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચેની મિત્રતાને નવી મજબૂતી મળશે. વળી, રક્ષા અને વેપારના ક્ષેત્રોમાં બન્ને દેશોની વચ્ચે કરાર પર હસ્તાક્ષર પણ કરશે.