આ વર્ષે 30 જાન્યુઆરીએ થયેલી પાચમી ઘટનામાં ખંડાલા ઘાટમાં એક ટનલના દ્વાર પર થયેલા ભુસ્ખલનથી ત્યાં કામ કરી રહેલા એક કર્મચારીનું મોત થયું હતું અને 3 લોકો ઘાયલ થયા હતા.
2/3
લોનાવાલા: લોનાવાલામાં અને કર્જત સ્ટેશન નજીક ખંડાલા ઘાટીના ઠાકુરવાડી સ્ટેશન અને મંકી હિલ વચ્ચે મુંબઈથી પુળે તરફ જઈ રહેલી હુબલી એક્સપ્રેસ પર કેટલાક મોટા મોટા પથ્થરો પડતા ટ્રેનના એક ડબ્બાના છત ફાડી અંદર પડ્યો હતો. આ ઘટના સોમવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. જો કે, આ ઘટનામાં ત્રણ મુસાફરોને ઈજાઓ થઈ છે. ઘટનાના સમાચાર મળતા રેલવે વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને તે પથ્થરને ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના કારણે હુબલી એક્સપ્રેસ તેમના નિર્ધારિત સમયથી એક કલાક મોડી થઈ.
3/3
જો કે, આ માર્ગ પર ભૂસ્ખલનની આ મહિનામાં ત્રીજી ઘટના છે અને સાથે રેલવે ટ્રેક દબાયાની ઘટના પણ બની છે. ગત 18 જુલાઈએ મુંબઈથી પુળે તરફ જતી હૈદરાબાદ એક્સપ્રેસનુ એન્જીન પહાડ પરથી પડેલા પથ્થરના કારણે પાટા પરથી નીચે ઉતરી ગયું હતું. જેના કારણે ચાર કલાક ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. તેના બીજા દિવસે પણ સિંહગઠ એક્સપ્રેસ સામે કેટલાક મોટા મોટા પથ્થરો આવી ગયા હતા.