શોધખોળ કરો
Advertisement

મોબાઈલની કોન્ટેક્ટ બુકમાં અચાનક દેખાવા લાગ્યો આધાર હેલ્પલાઈન નંબર, UIDAIએ શું આપ્યો જવાબ?

1/4

અચાનક જ દેખાતા યૂઆઈડીએઆઈના હેલ્પલાઇન નંબર અંગે આધાર ઓથોરિટીએ ટ્વિટ પર એક નિવેદન પણ આપ્યું છે. જેમાં જણાવ્યું કે આ 1800-300-1947 નંબર જૂનો થઈ ચૂક્યો છે, ઓથોરિટીએ લખ્યું કે આ ટોલ ફ્રી નંબર બે વર્ષથી બંધ થઈ ચૂક્યો છે. અને તેના બદલે હવે માત્ર 1947 નંબર કામ કરી રહ્યો છે.
2/4

અગાઉના હેલ્પલાઇન નંબર 800-300-1947ને બદલીને 1947 કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નંબર એન્ડ્રોઇડ યૂઝર્સના ફોનમાં જ સેવ મળી રહ્યો છે.
3/4

આધાર બનાવતી સંસ્થાએ આ પણ કહ્યું કે, કેટલાક લોકો દ્વારા આ મામલે સામાન્ય નાગરિકોને ભ્રમિત કરવા અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. UIDAI એ એમ પણ સ્પષ્ટ કર્યું છે કે, જે નંબર લોકોના ફોનમાં સેવ છે, તે છેલ્લા 2 વર્ષથી જ ઇનવેલિડ છે. UIDAIનો નવો ટોલ ફ્રી નંબર 1947 છે.
4/4

નવી દિલ્હી: શુક્રવારે સવારે હજારો સ્માર્ટફોન યૂઝર્સના ફોન કોન્ટેક્ટ લીસ્ટમાં આધાર ઓથોરિટી યૂઆઈડીએઆઈનો ટોલ ફ્રી નંબર 1800-300-1947 અચાનક ડિફોલ્ટ તરીકે સેવ થયેલો જોવા મળ્યો. પોતાની ફોન બુકમાં આધારનો ટોલ ફ્રી નંબર સેવ થયેલો જોઇને સ્માર્ટફોન યૂઝર્સને શૉક લાગ્યો.જેના કારણે સોશિયલ મીડિયા યૂઝર્સે પોતાની પ્રાઇવસીનો મુદ્દો ઉઠાવતાં આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
Published at : 03 Aug 2018 06:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
