અચાનક જ દેખાતા યૂઆઈડીએઆઈના હેલ્પલાઇન નંબર અંગે આધાર ઓથોરિટીએ ટ્વિટ પર એક નિવેદન પણ આપ્યું છે. જેમાં જણાવ્યું કે આ 1800-300-1947 નંબર જૂનો થઈ ચૂક્યો છે, ઓથોરિટીએ લખ્યું કે આ ટોલ ફ્રી નંબર બે વર્ષથી બંધ થઈ ચૂક્યો છે. અને તેના બદલે હવે માત્ર 1947 નંબર કામ કરી રહ્યો છે.
2/4
અગાઉના હેલ્પલાઇન નંબર 800-300-1947ને બદલીને 1947 કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નંબર એન્ડ્રોઇડ યૂઝર્સના ફોનમાં જ સેવ મળી રહ્યો છે.
3/4
આધાર બનાવતી સંસ્થાએ આ પણ કહ્યું કે, કેટલાક લોકો દ્વારા આ મામલે સામાન્ય નાગરિકોને ભ્રમિત કરવા અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. UIDAI એ એમ પણ સ્પષ્ટ કર્યું છે કે, જે નંબર લોકોના ફોનમાં સેવ છે, તે છેલ્લા 2 વર્ષથી જ ઇનવેલિડ છે. UIDAIનો નવો ટોલ ફ્રી નંબર 1947 છે.
4/4
નવી દિલ્હી: શુક્રવારે સવારે હજારો સ્માર્ટફોન યૂઝર્સના ફોન કોન્ટેક્ટ લીસ્ટમાં આધાર ઓથોરિટી યૂઆઈડીએઆઈનો ટોલ ફ્રી નંબર 1800-300-1947 અચાનક ડિફોલ્ટ તરીકે સેવ થયેલો જોવા મળ્યો. પોતાની ફોન બુકમાં આધારનો ટોલ ફ્રી નંબર સેવ થયેલો જોઇને સ્માર્ટફોન યૂઝર્સને શૉક લાગ્યો.જેના કારણે સોશિયલ મીડિયા યૂઝર્સે પોતાની પ્રાઇવસીનો મુદ્દો ઉઠાવતાં આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.