ચૌહાણે કહ્યુ કે, મોદીની કાર્યશૈલીને લઈને આરએસએસની અંદર કચવાટ છે. આરએસ તેને લઈને ખુશ નથી. આરએસએસમાં કચવાટ ચાલી રહ્યો છે. કારણ કે નિર્ણય કરતી વખતે સંઘને વિશ્વાસમાં નથી લઈ રહ્યાં. કેબિનેટનમાં હાલમાં થયેલા ફેરબદલમાં તેમણે ચાર નોકરશાહોને સામેલ કર્યા છે. સાથે તેમણે કહ્યું કે, આ એ વાતનું પ્રમાણ છે કે મોદી પાસે સક્ષમ નેતા નથી.
2/2
પૂણે: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઢ નેતા પૃથ્વીરાજ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની ટીપ્પણી કરી અને દાવો કર્યો કે, આરએસએસ મોદીથી ખુશ નથી. ચૌહાણે કહ્યુ કે, સુષમાં સ્વરાજને રક્ષા મંત્રાલાય સોંપવું જોઈતું હતું. મહારાષ્ટ્ર મીડિયા દ્વારા આયોજિત જન સાક્ષાત્કાર કાર્યક્રમમાં ચૌહાણે કહ્યુ કે, સંઘ મોદીથી ખુશ નથી, કારણ કે તેમણે આરએસએસના બે નેતાઓને કેબિનેટમાં સ્થાન નથી આપ્યું.