શોધખોળ કરો
રાફેલ મુદ્દો ગજવવા રાહુલે બનાવી છ સભ્યોની સમિતીઃ ગુજરાત કોંગ્રેસના ક્યા બે ધુરંધરોનો કરાયો સમાવેશ ? જાણો વિગત

1/3

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલ સમગ્ર કાર્યક્રમની દેખરેખ રાખશે અને સંકલન કરશે. આ સમિતીના સભ્યો સમગ્ર દેશમાં રાફેલ મુદ્દે કોંગ્રેસ પ્રેસ કોંફરન્સ અને જનઆંદોલન કરશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એ વાત લોકો સામે અસરકારકતાથી મૂકાશે તેમ કોંગ્રેસે જણાવ્યું છે.
2/3

નવી દિલ્લીઃ રાહેલ સોદા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે રાફેલ મુદ્દે કોંગ્રેસ વધુ આક્રમક બનશે. આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગજવવા અને લોકો સુધી ભ્રષ્ટાચારની વાત પહોંચાડવા માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 6 સભ્યોની સમિતિ બનાવી છે.
3/3

આ સમિતીમાં ગુજરાત કોંગ્રેસના બે ટોચના નેતાઓનો સમાવેશ કરાયો છે. 6 સભ્યોની સમિતીમાં ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડીયાને સમાવાયા છે. આ ઉપરાંત પીઢ નેતા જયપાલ રેડ્ડી, પ્રિયંકા ચતુર્વેદી, પવન ખેરા અને જયવીર શેરગિલનો પણ સમાવેશ કરાયો છે.
Published at : 19 Aug 2018 10:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
