શોધખોળ કરો
અડધી રાત્રે શરૂ થઈ'તી સર્જિકલ સ્ટ્રાઈકની શરૂઆત, જાણો- ઓપરેશનના 4 કલાકની કહાની
1/5

બપોરે 12.00 કલાકે આર્મી અને વિદેશ મંત્રાલયે દેશને જણાવ્યું કે આપણે હુમલો કર્યો. લશ્કર અને વિદેશ મંત્રાલયે અડધો કલાકમાં મીડિયાને હાજર રહેવા જણાવ્યું. સર્જિકલ સ્ટ્રાઇકની માહિતી આપી. વધુ કાર્યવાહી નહીં કરીએ, કંઈક થશે તો જવાબ પણ આપીશું. ત્યાર બાદ બપોરે 2.35 કલાકે પાક. સરહદે રહેલા 10 કિ.મી. સુધીનાં ગામો ખાલી કરાવવાની શરૂઆત થઈ. ગૃહ પ્રધાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને ગુજરાતની પાકિસ્તાન સરહદે આવેલાં 10 કિ. મિ. સુધીનાં ગામો ખાલી કરાવવાની શરૂઆત કરી છે. વાઘા સરહદે બિટિંગ રિટ્રિટ સેરેમની પણ રદ કરાઈ.
2/5

આ ઘટના બાદ સવારે 8 કલાકે અમેરિકાથી ફોન આવ્યો જેમાં ભારતે કરેલ સર્જિકલ સ્ટ્રાકીની જાણકારી આપવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર સુઝેન રાઈસે ભારતમાં તેના સમકક્ષ અજિત દોવાલ સાથે ફોન પર વાત કરી હતી. બાદમાં તમામ પક્ષોના પ્રમુખ સાથે વાતચીત કરીને આ હુમલા અંગે જાણકારી આપવામાં આવી હતી ઉપરાંત પાકિસ્તાનના ડીજીએમઓને પણ આ સર્જિકલ સ્ટ્રાઈક અંગે જાણકારી આપવામાં આવી હતી અને તેમને કહેવામાં આવ્યું હતું કે ટાર્ગેટ આતંકવાદી હતા નહીં કે પાકિસ્તાની આર્મી. લગભગ 11 કલાકે પાકિસ્તાને આર્મીનું નિવેદન આવ્યું કે ભારતીય આર્મીએ ભિમ્બર, હોટસ્પ્રિંગ, કેલ અને લિપા સેક્ટરમાં રાત્રે 2-30થી 8 કલાકની વચ્ચે ગોળીબારી કરી જેમાં તેમના બે સૈનિક માર્યા ગયા છે.
Published at : 30 Sep 2016 10:40 AM (IST)
View More





















