જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈદ્યે પણ આ ઓપરેશનની સ્પષ્ટતા કરી હતી. તેમને જણાવ્યું કે, આતંકીઓએ સર્ચ ઓપરેશન કરી રહેલી ટીમ પર ફાયરિંગ કર્યું, સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીની સાથે જ અથડામણ શરૂ થઇ ગઇ હતુ. નોંધનીય છે કે, બાદ આ વિસ્તારમાં ટ્રેન અને ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી.
3/5
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ખાનબલના મુનિવાદ ગામમાં આતંકીઓ હોવાની બાતમીના આધારે સુરક્ષાદળોએ આજે સવારથી ત્યાં ઘેરબંધી અને સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધુ હતું.
4/5
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે સવારે જ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હતું, આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.
5/5
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં બુધવારે બપોરે આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓના આ હુમલામાં ચાર પોલીસકર્મીઓ શહીદ થઇ ગયા છે. હુમલો કરનારા આતંકીઓ કોણ છે, તે વિશે હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. હુમલાની જાણ થતા જ બધા મોટો ઓફિસરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.