શોધખોળ કરો
મમતાના રાજમાં બંગાળ થયું કંગાળ, હવે થશે TMCનો ખાત્મોઃ અમિત શાહ
1/3

અમિત શાહે રોજગારીના મામલે પણ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું, ઔદ્યોગિક રોજગાર મામલે બંગાળ 100માંથી 32ને રોજગાર આપતું હતું, પરંતુ હવે આ આંકડો 4 પર પહોંચી ગયો છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીએ બેરોજગારોની ફોજ ઉભી કરવાનું કામ કર્યું છે. સાથે જ તૃણમૂલ કૉંગ્રેસે બંગાળને કંગાળ બનાવવાનું કામ કર્યું છે.
2/3

પોતાના નિવેદનમાં અમિત શાહે ઈતિહાસને યાદ કરતા તૃણમૂલ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, વેપારથી લઈને ઉદ્યોગ અને કળા સંસ્કૃતિ જેવા તમામ ક્ષેત્રે પશ્ચિમ બંગાળનો દબદબો રહેતો હતો. પરંતુ એક લાંબા સમય સુધી કમ્યૂનિસ્ટ શાસન અને મમતા દીદીના શાસને બંગાળને ક્યાં લાવીને ઉભું રાખી દિધુ છે. અમિત શાહે કેટલાક આંકડાઓનો હવાલો આપતા બતાવ્યું બંગાળ હવે પાછળ રહી ગયું છે.
Published at : 22 Jan 2019 04:09 PM (IST)
View More





















