![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mosquito Repellent: મચ્છરને ભગાવવાના આ છે અસરકારક ઉપાય, ફેફસાને નહિ થાય નુકસાન
મચ્છર કરડવાથી ખંજવાળ કે બળતરા જ નથી થતી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. તેમના કરડવાથી તે બીમારીને પણ આંમંત્રણ આપે છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ક્યારેક તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
![Mosquito Repellent: મચ્છરને ભગાવવાના આ છે અસરકારક ઉપાય, ફેફસાને નહિ થાય નુકસાન diy herbal tips to use as mosquito repellent in daily life Mosquito Repellent: મચ્છરને ભગાવવાના આ છે અસરકારક ઉપાય, ફેફસાને નહિ થાય નુકસાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/26/c244adb50286c37739026832388a6e661658821300_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mosquito Prevention Tips: મચ્છર કરડવાથી ખંજવાળ કે બળતરા જ નથી થતી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. તેમના કરડવાથી તે બીમારીને પણ આંમંત્રણ આપે છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ક્યારેક તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, ઘરમાં દરેક પદ્ધતિ અપનાવવી જોઈએ જેથી કરીને મચ્છર ઘરની અંદર ન આવી શકે (DIY Mosquito Repelent). જો આ ઉપાય હર્બલ અને પ્રાકૃતિક છે, તો તે સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે કારણ કે બજારમાં ઉપલબ્ધ મોટાભાગના મચ્છર ભગાડનારા રસાયણ આધારિત અથવા કેરોસીન આધારિત છે. તેનો ઉપયોગ કરવાથી મચ્છર ભાગી જાય છે, પરંતુ શ્વાસ, ઉધરસ, ઉંઘની સમસ્યા વગેરે રોગો થઈ શકે છે. અહીં તમને મચ્છરોથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો જણાવવામાં આવી રહ્યા છે, જે હેલ્ધી અને પોકેટ ફ્રેન્ડલી પણ છે.
ગૂગળનો ધૂપ કરો
ઘરમાં પૂજામાં વપરાતા ગૂગળ વિશે તો આપ જાણતા હશો. મચ્છરોથી છુટકારો મેળવવા માટે આ એક કુદરતી ઉપાય છે. સાંજે ઘરમાં દીવો કરતી વખતે ગુગ્ગુલનો ધૂપ પણ કરવો જોઈએ. જેના કારણે ઘરમાં મચ્છર પણ નથી આવતા અને નકારાત્મકતા પણ ઘરથી દૂર રહે છે. તેનો ધુમાડો ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને હવામાં રહેલા હાનિકારક વાયરસને પણ ખતમ કરે છે.
લેમન ગ્રાસ ઓઇલ
જો આપના ઘરમાં નાના બાળકો છે અને આપ ધૂપ ધૂમાડો નથી કરવા માંગતા તો લેમન ગ્રાસનો ઉપયોગ કરો. તેનાથી ઘર મહેકતું રહેશે ધૂમાડો પણ નહી થાય અને મચ્છર પણ નહી આવે, જો કે ઓઇલ રિયલ હોવું જોઇએ તો જ કામ કરશે,.
નીમ અને નારિયેલ તેલ
આપ બરાબર માત્રામાં લીમડા અને નારિયેળનું તેલ મિક્સ કરી લો. આ તેલને આપ હાથ પગ પર લગાવી દો. આપને મચ્છર કરડવાથી છૂટી મળી જશે,
કપૂર સળગાવો
સૂતા પહેલા ઘરમાં કપૂર સળગાવો, આ થોડીવારમાં જ બળી જાય છે પરંતુ તે કોયલ જેવું કામ કરે છે. આપ રૂમમાં કપૂર જલાવીને 15થી20 મિનિટ માટે છોડી દો. તેનાથી મચ્છર તરત જ ભાગી જશે. આપ આરામની ઊંઘ લઇ શકો છો. કપૂરની સુગંધ આખા રૂમમાં ફેલાઇ જશે અને ધૂમાડો પણ નહીં થાય.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)