શોધખોળ કરો

Alcohol: શું દરરોજ થોડો થોડો દારુ પીવાથી શરીરને ફાયદો થાય છે? રિસર્ચમાં થયો ખુલાસો

Alcohol Consumption: દારૂ પીવાના શોખીન લોકો દરેક જગ્યાએ હાજર છે. પરંતુ શું તમે જાણો છો કે આલ્કોહોલ શરીર માટે કેટલું નુકસાનકારક છે. સંશોધન મુજબ ઓછો આલ્કોહોલ પીવો પણ જીવલેણ સાબિત થઈ શકે છે. જાણો કઈ ઉંમરે જોખમ સૌથી વધુ છે.

Alcohol Consumption: આલ્કોહોલ પીવાના શોખીન લોકો દુનિયાભરમાં હાજર છે. પરંતુ તમે દરરોજ દારૂ પીનારા લોકો પાસેથી ઘણીવાર સાંભળ્યું હશે કે દરરોજ બે પેગ પીવાથી નુકસાન નથી થતું, બલ્કે ફાયદો થાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું દરરોજ ઓછી માત્રામાં દારૂ પીવો ખરેખર ફાયદાકારક છે. જાણો આ વિશે શું કહે છે સંશોધન.

દારૂ

દારૂ પીનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. વૈશ્વિક સ્તરે પહેલાની સરખામણીમાં આલ્કોહોલનું સેવન વધ્યું છે. પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આજે અમે તમને એક સંશોધન વિશે જણાવીશું જેમાં 1 લાખથી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

સંશોધન દારૂ વિશે શું કહે છે?

વૈજ્ઞાનિકોએ દરરોજ થોડી માત્રામાં આલ્કોહોલ પીવા પર 12 વર્ષ સુધી સંશોધન કર્યું છે. આ સંશોધનમાં ઓછી માત્રામાં આલ્કોહોલ પીવાથી સંબંધિત ઘણા તથ્યો સામે આવ્યા છે. સંશોધકોએ એક અભ્યાસમાં જણાવ્યું છે કે બ્રિટનમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કેન્સરથી થતા મૃત્યુમાં વધારો થવા પાછળનું એક કારણ ઓછું આલ્કોહોલ પીવું પણ છે. જો કે, તે લોકોમાં તેનું જોખમ વધુ હોવાનું જાણવા મળ્યું છે જેમને પહેલાથી જ સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી.

1 લાખથી વધુ લોકો પર સંશોધન

સંશોધકોએ 12 વર્ષ સુધી 60 વર્ષ અને તેથી વધુ વયના 1,35,103 પુખ્ત વયના લોકોનું નિરીક્ષણ કર્યું. આ અભ્યાસમાં સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે જેઓ ક્યારેક-ક્યારેક આલ્કોહોલ પીતા હતા તેમની સરખામણીમાં મધ્યમ પ્રમાણમાં આલ્કોહોલ પીનારાઓમાં હૃદયરોગને કારણે થતા મૃત્યુમાં કોઈ ઘટાડો થયો નથી. અભ્યાસમાં, થોડા પેગ પીવા એ પુરુષો માટે દરરોજ 20 ગ્રામ અને સ્ત્રીઓ માટે દરરોજ 10 ગ્રામ સુધી દારૂના સરેરાશ વપરાશ તરીકે ગણવામાં આવ્યું છે. જો કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રમાણભૂત પીણામાં 14 ગ્રામ આલ્કોહોલ હોય છે.

દારૂનું સેવન વધ્યું

યુનિવર્સિડેડ ઓટોનોમા ડી મેડ્રિડ ખાતે પ્રિવેન્ટિવ મેડિસિન અને પબ્લિક હેલ્થના આસિસ્ટન્ટ પ્રોફેસર અને પેપરના મુખ્ય લેખક ડૉ. રોઝારિયો ઓર્ટોલાએ જણાવ્યું હતું કે જે લોકો ઓછો આલ્કોહોલ પીવે છે તેઓનો મૃત્યુદર ઓછો હોય છે એવું સૂચવવા માટે સંશોધનમાં કંઈ મળ્યું નથી.

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં આલ્કોહોલનો ઉપયોગ વધ્યો છે. તે જ સમયે, 2016-2017 અને 2020-2021 ની વચ્ચે, વધુ પડતા પીવાના કારણે મૃત્યુમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે.

ઓછો દારૂ પણ ખતરનાક છે

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે વરિષ્ઠ નાગરિકો ઓછો આલ્કોહોલ પીતા હોય છે તેમનામાં સ્વાસ્થ્ય સંબંધિત કારણોને લીધે મૃત્યુનું જોખમ વધારે હોય છે. પરંતુ જે લોકો મોટે ભાગે વાઇન પીતા હોય છે અથવા માત્ર ભોજન દરમિયાન જ આલ્કોહોલ પીતા હોય છે તેમને મૃત્યુનું જોખમ ઓછું હોય છે. ખાસ કરીને વાઇન પીનારાઓમાં કેન્સરથી મૃત્યુનું જોખમ ઓછું છે. સંશોધન મુજબ, સરળ ભાષામાં, પુરુષો માટે દરરોજ 20 થી 40 ગ્રામ અને સ્ત્રીઓ માટે 10 થી 20 ગ્રામ દારૂ પીવાનું માનવામાં આવે છે. પરંતુ ઓછા આલ્કોહોલનું સેવન કરવાથી મૃત્યુનું જોખમ પણ વધી જાય છે.

આ પણ વાંચો...

Health Tips: જો તમારા પેટમાં પણ ગરબડ રહેતી હોય તો સાવધાન! કબજીયાતથી વધી શકે છે હાર્ટ એટેકનો ખતરો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટા ફેરફાર, 1 ઓક્ટોબર પહેલા આ કામ નહીં કરો તો થશે નુકસાન
Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટા ફેરફાર, 1 ઓક્ટોબર પહેલા આ કામ નહીં કરો તો થશે નુકસાન
Cricket Ban: આ દેશમાં ક્રિકેટ પર લાગશે પ્રતિબંધ! તાલિબાનના સુપ્રીમ લીડરે આપી દીધો આદેશ?
Cricket Ban: આ દેશમાં ક્રિકેટ પર લાગશે પ્રતિબંધ! તાલિબાનના સુપ્રીમ લીડરે આપી દીધો આદેશ?
Spacewalk: આ અબજોપતિએ રચ્યો ઇતિહાસ! અવકાશમાં કર્યું સ્પેસવોક,અદભૂત વીડિયો આવ્યો સામે
Spacewalk: આ અબજોપતિએ રચ્યો ઇતિહાસ! અવકાશમાં કર્યું સ્પેસવોક,અદભૂત વીડિયો આવ્યો સામે
America Reservation System: શું અમેરિકામાં પણ કોઈને મળે છે અનામત? જાણો કયા આધારે મળે છે નોકરી
America Reservation System: શું અમેરિકામાં પણ કોઈને મળે છે અનામત? જાણો કયા આધારે મળે છે નોકરી
Embed widget