Health : ગરમીમાં વજન ઘટાડવું હોય તો આ બીજનું કરો ખાલી પેટ સેવન, ફટાફટ ઉતરશે વજન
જો તમે સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવો છો, તો તે તમારી પાચનશક્તિને મજબૂત બનાવવા ઉપરાંત લીવરને ડિટોક્સિફાય અને સાફ કરવાનું કામ કરે છે.

Health :ઝડપથી વજન ઘટાડવામાં વરિયાળીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. જો તમે રોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ વરિયાળીનું પાણી પીશો તો તેનાથી સ્થૂળતા ઝડપથી ઘટશે અને પેટ પણ ઠંડું રહે છે.
વજન ઘટાડવા માટે લોકો શું નથી કરતા? એકવાર શરીરમાં સ્થૂળતા જમા થઈ જાય પછી તેને ઘટાડવી ખૂબ મુશ્કેલ છે. ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી જ વજન ઘટે છે. ઉનાળામાં સ્થૂળતા ઘટાડવા માટે તમારા આહારમાં વરિયાળીના પાણીનો સમાવેશ કરો. વરિયાળી સ્થૂળતા ઝડપથી ઘટાડે છે. તે પેટને પણ ઠંડુ રાખે છે. વરિયાળીનું પાણી પણ લીવરને ડિટોક્સ કરવાનું કામ કરે છે.
ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાના ફાયદા
જો તમે સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવો છો, તો તે તમારી પાચનશક્તિને મજબૂત બનાવવા ઉપરાંત લીવરને ડિટોક્સિફાય અને સાફ કરવાનું કામ કરે છે. જો કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય અથવા તેને ખૂબ ગેસ હોય તો તેણે સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવું જોઈએ.
વરિયાળીનું પાણી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
વરિયાળીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વરિયાળીનું પાણી નર્વસ સિસ્ટમને પણ બૂસ્ટ કરે છે માનસિક સ્ટ્રેસને પણ ઓછો કરે છે. . તેનાથી તમારા ઓફિસનો તણાવ પણ ઓછો થાય છે.
જે માતા બાળકને ફિડીંગ કરાવે છે તેણે વરિયાળીનું પાણી પીવું જોઈએ. આનાથી વધુ દૂધ વધુ બને છે.વરિયાળીનું પાણી કેવી રીતે તૈયાર કરવું.વરિયાળીનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણી લો અને તેમાં એક ચમચી વરિયાળી નાખો. પછી આ બીજને આખી રાત પલાળી રાખો. સવારે તેને નવશેકું અથવા ગાળીને પીવો. આ પાણી તમે આરામથી પી શકો છો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
