શોધખોળ કરો

થકાવટ અને ભૂખ ન લાગવા સહિતના આ લક્ષણો આ બીમારીના છે સંકેત, જાણો તેના ઉપાય

ફેટી લીવરની સમસ્યાને વહેલા ઓળખો. તમારે વધુ પડતું તેલયુક્ત, એકસમાન ખોરાક અને વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ફેટી લીવરના લક્ષણો, નિવારણ અને ઘરેલું ઉપચાર જાણો.

Health tips:ફેટી લીવરની સમસ્યાને વહેલા ઓળખો. તમારે વધુ પડતું તેલયુક્ત, એકસમાન ખોરાક અને વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ફેટી લીવરના લક્ષણો, નિવારણ અને ઘરેલું ઉપચાર જાણો.

કોઈપણ વ્યક્તિના લિવરમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું અથવા નગણ્ય હોય છે, પરંતુ જ્યારે લિવરના કોષોમાં ચરબી જમા થવા લાગે છે ત્યારે ધીમે-ધીમે લિવરમાં સોજો આવવા લાગે છે. જેના કારણે ફેટી લીવરની સમસ્યા થાય છે. જ્યારે કોઈ વ્યક્તિને ફેટી લિવરની સમસ્યા હોય છે, ત્યારે શરીરમાં કેલરીની માત્રા ચરબીમાં રૂપાંતરિત થાય છે અને યકૃતના કોષોમાં જમા થાય છે. જેના કારણે લીવરમાં સોજો  વધવા લાગે છે. જો ફેટી લીવરની સમસ્યા વધુ ગંભીર હોય તો લીવર ડેમેજ થવાનું જોખમ પણ રહે છે.

જ્યારે શરીરમાં ચરબીનું પ્રમાણ લિવરના વજનના 10% વધી જાય છે, તો આવી સ્થિતિમાં લિવર ફેટી લિવરમાં ફેરવાઈ જાય છે. તે પાચન તંત્ર પર પણ અસર કરે છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે, ઘણી વખત લોકોને ફેટી લિવરની સમસ્યા વિશે મોડેથી ખબર પડે છે. આવી સ્થિતિમાં બચાવ કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં તમારા માટે ફેટી લિવર વિશે જાણવું જરૂરી છે. ચાલો જાણીએ કે ફેટી લિવર કેટલા પ્રકારના હોય છે? ફેટી લીવરના લક્ષણો શું છે અને ફેટી લીવરને કેવી રીતે અટકાવી શકાય?

ફૈટી લિવર કેટલાક પ્રકારના હોય છે

 આલ્કોહોલિક ફેટી લીવર

 આલ્કોહોલિક ફેટી લીવર, વધુ માત્રામાં આલ્કોહોલ પીવાથી થાય છે. જેના કારણે લીવરમાં ચરબી જમા થવા લાગે છે અને લીવરમાં સોજો આવે છે. જે લોકો વધુ પડતો આલ્કોહોલ પીવે છે તેમને ફેટી લીવરની સમસ્યા થવા લાગે છે.

શું છે ઉપાય

 આલ્કોહોલિક લિવરની સમસ્યાથી પીડિત વ્યક્તિએ  દારૂ પીવાનું છોડી દેવું જોઇએ.  આના કારણે લીવરનો સોજો ઓછો થવા લાગે છે અને આનો એકમાત્ર ઉપાય એ છે કે દારૂનો ત્યાગ કરવો.

નોન-આલ્કોહોલિક ફેટી લીવર

 નોન-આલ્કોહોલિક ફેટી લીવર મોટાભાગે  ઓઇલી ફૂડ વધુ ખાવાના કારણે થાય છે. તેલયુક્ત ખોરાક ખાવાથી અથવા બહારનો ખોરાક વધુ ખાવાથી કેટલાક એવા તત્વો શરીરમાં સામેલ થઈ જાય છે, જેની સીધી અસર તમારા વજન પર પડે છે. સ્થૂળતા વધવાથી અથવા ડાયાબિટીસ હોવાને કારણે વ્યક્તિને ફેટી લિવરની સમસ્યા થઈ શકે છે. તે ઘણીવાર લાંબા સમય સુધી એક પ્રકારનો ખોરાક ખાવાને કારણે પણ થાય છે. ધ્યાન રાખો કે એક જ ખોરાક લાંબા સમય સુધી ન ખાવો.

શું છે નિવારણ

 આ સમસ્યાથી બચવા માટે આપની આહારશૈલી સુધારવાની જરૂરૂ છે.  સ્થૂળતા ન થાય તે માટે વધુ તળેલા અને જંક ફૂડને અવોઇડ કરો. દિનચર્યામાં  વ્યાયામને સામેલ કરો. જેથી આપ  ફિટ રહી શકશો.

ફેટી લીવરના લક્ષણો

જો કે, શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ ધીમે ધીમે કેટલીક સમસ્યાઓ દ્વારા જાણી શકાય છે કે ફેટી લિવરની બીમારી છે, . જાણો ફેટી લિવરના લક્ષણો શું છે?

1- વારંવાર વોમિટિંગની ફિલિંગ થવી.

2- ભૂખ બિલકુલ ન લાગવી.

3- ખોરાક સારી રીતે પચતો નથી.

4- વારંવાર થાક લાગવો.

5- અચાનક નબળાઈનો અનુભવ થવો.

6- વજન ઘટવું.

7- પેટના ઉપરના ભાગમાં સોજો આવવો.

ફેટી ફેટી લીવરની સમસ્યા શા માટે થાય છે?

સૌથી મહત્ત્વના બે કારણો છે, એક તો વધુ પડતો દારૂ પીવો અને બીજું ખાવા-પીવામાં ધ્યાન ન રાખવું. છે, આ  સિવાય કારણો હોવા છતાં, અન્ય ઘણા કારણો છે જે ફેટી લીવરની સમસ્યા તરફ દોરી શકે છે. ર

1- મરચા-મસાલા વધુ માત્રામાં ખાવા

2- ટાઇપ -2 ડાયાબિટીસ

3- વધારે વજન હોવું

4- લોહીમાં ચરબીનું પ્રમાણ વધવું

5- ઉચ્ચ કોલેસ્ટ્રોલ હોવું

6- ચયાપચયમાં ઘટાડો

7- આનુવંશિક કારણો

ફેટી લિવરનો ઉપચાર

દવાઓ ઉપરાંત, કેટલીક ઘરગથ્થુ ઉપાયથી ફણ આપ આ સમસ્યામાં થોડા અંશે રાહત મેળવી શકો છો. આપ આપની  ફિટ રાખવા અને ફેટી લિવરથી બચવા માટે આ ઘરેલું ઉપાયો અપનાવી શકો છો.

  1. નારિયેળ પાણી, દાળ, દાળનું પાણી અને છાશ પુષ્કળ પ્રમાણમાં પીઓ.

2- રોજ કસરત કરો, ભલે તે ઓછી હોય પણ કસરત કરવાનું ભૂલશો નહીં.

3- લસણ ખાઓ, તમામ શાકભાજીમાં લસણનો ઉપયોગ કરો.

4- રાત્રે 9 વાગ્યા પહેલા ભોજન લો, મોડી રાત્રે ન ખાઓ.

5- દારૂ, ધૂમ્રપાન સંપૂર્ણપણે છોડી દો.

6- કોઈપણ ખોરાકને સારી રીતે ચાવીને ખાઓ.

7- ચરબી વધારનાર ખોરાક ઓછો લો.

8- વધુ ને વધુ બ્રોકોલી, માછલી, એવોકાડો ખાઓ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget