શોધખોળ કરો

A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?

ભારતીય બજારોમાં આજકાલ A2 ઘી અને A2 લેબલવાળા ડેરી ઉત્પાદનોની ભારે માંગ છે. ખાસ કરીને ઓનલાઈન પ્લેટફોર્મ પર તેનો સુપરફૂડ તરીકે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ભારતીય બજારોમાં આજકાલ A2 ઘી અને A2 લેબલવાળા ડેરી ઉત્પાદનોની ભારે માંગ છે. ખાસ કરીને ઓનલાઈન પ્લેટફોર્મ પર તેનો સુપરફૂડ તરીકે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કંપનીઓ દાવો કરે છે કે A2 ઘી દેશી ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે, જે A2 બીટા-કેસીન પ્રોટીનથી ભરપૂર છે. તેઓ કહે છે કે આ પ્રોટીન A1 પ્રોટીન કરતાં પચવામાં સરળ છે અને શરીરમાં બળતરા ઘટાડે છે.

કંપનીઓ એમ પણ કહે છે કે A2 ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ, કન્જુગેટેડ લિનોલિક એસિડ (CLA), વિટામિન A, D, E અને K હોય છે, જે હૃદય માટે ફાયદાકારક છે, પાચન સુધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચામાં ચમક લાવે છે. એટલું જ નહીં, તે ઘાને મટાડવામાં પણ મદદરૂપ હોવાનું કહેવાય છે. પરંતુ શું આ બધા દાવા સાચા છે?

A1 અને A2 પ્રોટીન વચ્ચે શું તફાવત છે?

દૂધમાં જોવા મળતું એક મુખ્ય પ્રોટીન બીટા-કેસીન છે. તેના બે પ્રકાર છે:-

A1 બીટા-કેસીન, જે મુખ્યત્વે યુરોપિયન પ્રજાતિની ગાયોના દૂધમાં જોવા મળે છે.

A2 બીટા-કેસીન, જે કુદરતી રીતે ભારતીય ગાયોના દૂધમાં જોવા મળે છે.

કંપનીઓ દાવો કરે છે કે A2 દૂધ અથવા ઘી સ્વાસ્થ્ય માટે સારું છે. જોકે, નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ (NAAS) ના સંશોધન મુજબ, આ દાવા અંગે કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. કેટલાક અભ્યાસોએ A2 દૂધને પચવામાં સરળ હોવાનું દર્શાવ્યું છે, પરંતુ કોઈ મોટા પાયે એવું સંશોધન થયું નથી જેનાથી એ સાબિત થાય કે A2 ઘી વાસ્તવમાં સામાન્ય ઘી કરતાં વધુ આરોગ્યપ્રદ છે.

નિષ્ણાતો શું કહે છે?

અમૂલના ભૂતપૂર્વ એમડી અને ઇન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ આર.એસ. સોઢીનું કહેવું છે કે, "હું આને ફક્ત માર્કેટિંગ તમાશો માનું છું. આજે જાણીતી સહકારી સંસ્થાઓ અને કંપનીઓ સારું દેશી ઘી 600 થી 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહી છે, જ્યારે A2 લેબલવાળું ઘી 2000 થી 3000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. વાસ્તવમાં A1 અને A2 બે પ્રકારના બીટા-કેસીન પ્રોટીન છે. તેમની વચ્ચેનો તફાવત ફક્ત એક એમિનો એસિડનો છે. એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે આનાથી સ્વાસ્થ્ય પર મોટી અસર પડે છે."

તેઓ આગળ કહે છે, "ઘીમાં 99.5 ટકા ચરબી હોય છે. પ્રોટીનનો એક પણ અંશ હોતો નથી. આવી સ્થિતિમાં એમ કહેવું કે મારા ઘીમાં A2 પ્રોટીન છે અને તે વધુ ફાયદાકારક છે તે ખોટું છે. આ ફક્ત લોકોને મૂંઝવણમાં મૂકવાનો એક રસ્તો છે." દિલ્હીના ઈન્સ્ટીટ્યૂટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાઈડ સાયન્સિસના સિનિયર ડાયેટિશિયન ડૉ. વિભૂતિ રસ્તોગીએ કહ્યું હતું કે "જ્યાં સુધી A2 ઘી સામાન્ય ઘી કરતાં વધુ આરોગ્યપ્રદ હોવાનો દાવો વૈજ્ઞાનિક રીતે સાબિત ન થાય ત્યાં સુધી તે સાચું માની શકાય નહીં. ઘી પ્રોટીનનો સ્ત્રોત નથી. જો કોઈ કંપની કહે છે કે તેમાં A2 પ્રોટીન છે અને તે તમને પ્રોટીન આપશે, તો તે ગેરમાર્ગે દોરનારું છે."

તેઓ એમ પણ કહે છે કે આયુર્વેદમાં A2 ઘીનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી. તેઓ કહે છે કે કંપનીઓ એમ કહીને ફાયદો ઉઠાવી રહી છે કે ઘી મશીનમાંથી કાઢવામાં આવતું નથી અથવા પરંપરાગત રીતે બનાવવામાં આવતું નથી, પરંતુ તેમની પાસે આ સાબિત કરવા માટે કોઈ નક્કર આધાર નથી.

FSSAI ની ચેતવણી

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પણ કંપનીઓને A1 અને A2 લેબલિંગ કરવાની મનાઈ ફરમાવી હતી. FSSAI એ કહ્યું હતું કે આ લેબલિંગ ગેરમાર્ગે દોરનારું છે અને ફૂડ સેફ્ટી એક્ટ, 2006નું ઉલ્લંઘન કરે છે. જોકે આ એડવાઇઝરીને પાછળથી દૂર કરવામાં આવી હતી છતાં પ્રશ્ન હજુ પણ એ જ છે. શું A2 ઘી આરોગ્યપ્રદ છે કે તે ફક્ત બ્રાન્ડિંગ ગેમ છે જે તેને વધુ મોંઘુ બનાવે છે?

વાસ્તવિકતા શું છે?

હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે કોઈપણ સ્વરૂપમાં ઘી પછી ભલે તે A1 હોય કે A2 ચરબીનો સ્ત્રોત છે. તે શરીરને ઊર્જા પૂરી પાડે છે અને ફેટ સોલ્યૂબલ વિટામીન્સ (A, D, E, K) નો સ્ત્રોત છે. પરંતુ મોટી માત્રામાં ઘી ખાવાથી સ્થૂળતા, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનું જોખમ વધી શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને લાગુ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
Embed widget