શોધખોળ કરો

Dahi Winter Myths: શું શિયાળાની ઋતુમાં દહીંના સેવનથી થાય છે નુકસાન, જાણો શું છે હકીકત

ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, દહીં પોષક તત્વોથી ભરપૂર છે, જે શરીરને ચેપ સામે લડવા માટે સારા બેક્ટેરિયા આપે છે.

Dahi Winter Myths:દહીં એક સ્વસ્થ પ્રોબાયોટિક છે, જેમાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સનું પ્રમાણ વધુ છે અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું છે. રાયતા, સ્વાદયુક્ત દહીં અથવા છાશના રૂપમાં દહીંનો સમાવેશ કરીને, તમે માત્ર ભોજનનો આનંદ જ નહીં મેળવશો પણ તમારી પાચનશક્તિને પણ વેગ આપશે. દહીં ભલે ગમે તેટલું પૌષ્ટિક હોય, તેના વિશે અનેક માન્યતાઓ સાંભળવા મળે છે. ઉદાહરણ તરીકે, એવા ઘણા લોકો છે જે શિયાળામાં દહીં ખાતા નથી કારણ કે તેની ઠંડી  અસર હોય છે, ખાસ કરીને રાત્રે. પરંતુ શું ખરેખર શિયાળાની ઋતુમાં દહીં ખાવું નુકસાનકારક છે?

 ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, દહીં પોષક તત્વોથી ભરપૂર છે, જે શરીરને ચેપ સામે લડવા માટે સારા બેક્ટેરિયા આપે છે. તેની સાથે તેમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન-બી2 અને બી12 પણ સારી માત્રામાં હોય છે, જે દરેક ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

મિથક1: શિયાળામાં દહીં ખાવાથી ખાંસી અને શરદી થઈ શકે છે.

સત્ય: દહીં એ ખોરાક સાથે અથવા મીઠાઈ તરીકે ખાવા માટે શ્રેષ્ઠ ખોરાક છે, પછી ભલે હવામાન ઠંડુ હોય. દહીંમાં પ્રોબાયોટિક્સ અને વિટામિન હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને સુધારે છે. પરંતુ, દહીંને ફ્રિજમાંથી બહાર કાઢ્યા પછી તરત જ ન ખાવું, તેને જમતા પહેલા થોડા કલાકો સુધી બહાર બેસી રહેવા દો.

 મિથક 2: બાળકોને ઠંડીમાં દહીં ન ખવડાવવું જોઈએ.

સત્ય: દહીં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ઉત્તમ ખોરાક છે. તેમાં સોજા  વિરોધી ગુણધર્મો છે અને તે શ્વેત રક્તકણોના સંશ્લેષણને પણ પ્રોત્સાહન આપે છે. તેથી બાળકોને દહીં ખવડાવવું જ જોઈએ. ફક્ત ધ્યાન રાખો કે  શિયાળામાં  ફ્રિજનું કોલ્ડ દહી ન આપો,તમે દહીંને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવવા માટે તેમાં ફળો અને શાકભાજી પણ ઉમેરી શકો છો.

મિથક 3: રાત્રે દહીં ન ખાવું જોઈએ.

સત્ય: આ એક ખોટી માન્યતા છે. રાત્રિભોજન સાથે દહીં ખાવું સારું છે. તેનાથી તમારા પેટને પણ આરામ મળે છે. તેના ઉપયોગથી મગજમાં ટ્રિપ્ટોફેન નામનું અનોખું એમિનો એસિડ નીકળે છે, જે મગજને શાંત કરવામાં અને વિચારવામાં મદદ કરે છે.

 મિથક  4: સ્તનપાન કરાવતી વખતે દહીં ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી માતા અને બાળક બંનેમાં શરદી થઈ શકે છે.

હકીકતમાં  આ સાચું નથી. માતાના દૂધ દ્વારા માત્ર પોષક તત્ત્વો જ બાળક સુધી પહોંચે છે, શરદી કે કોઈપણ પ્રકારનો ચેપ નહીં કારણ કે માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન ભરપૂર માત્રામાં હોય છે. દહીંમાં રહેલા સક્રિય બેક્ટેરિયા રોગ પેદા કરતા જંતુઓ સામે લડે છે અને પાચનમાં સુધારો કરે છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓ કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપને પહોંચી વળવા આહારમાં દહીં કે રાયતા લઈ શકે છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget