![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health: જમ્યા પછી તરત જ તમે પાણી પીતા તો નથી ને? કારણ જાણી આજે છોડી દેશો આ આદત
Health: મોટાભાગના લોકો જમતી વખતે અથવા જમ્યા પછી તરત જ પાણી પીતા રહે છે.
![Health: જમ્યા પછી તરત જ તમે પાણી પીતા તો નથી ને? કારણ જાણી આજે છોડી દેશો આ આદત Health: Drinking Water During and After Meals: Side-effects Health: જમ્યા પછી તરત જ તમે પાણી પીતા તો નથી ને? કારણ જાણી આજે છોડી દેશો આ આદત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/21/b51c16df23427340fcbd72ec973f0172170849481784474_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Health: ભોજન અને પાણી બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટના મતે જો તમે દરરોજ 3 થી 4 લીટર પાણી પીઓ છો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. મોટાભાગના લોકો જમતી વખતે અથવા જમ્યા પછી તરત જ પાણી પીતા રહે છે. ડૉક્ટરો આને ટાળવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી એસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યા થઈ શકે છે. આવું કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી જમ્યા પછી થોડા સમય બાદ પાણી પીવું જોઈએ. ચાલો જાણીએ કે જમ્યા પછી તરત જ પાણી પીવાના શું નુકસાન છે અને કેટલા સમય પછી પાણી પીવું જોઈએ.
જમ્યા પછી તરત જ પાણી પીવાથી શું નુકસાન થાય છે?
સ્થૂળતા વધી શકે છે.
પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
પેટમાં ગેસ જેવી સમસ્યા થઈ શકે છે.
બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધી શકે છે.
ખોરાક ખાધા પછી પાણી ક્યારે પીવું જોઈએ?
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જ્યારે પણ ખોરાક શરીરમાં જાય છે ત્યારે તેને પચવામાં ઓછામાં ઓછા બે કલાકનો સમય લાગે છે. જો તમે આ દરમિયાન પાણી પીઓ છો તો તેની અસર પાચનક્રિયા પર પડે છે. તેથી જમ્યા પછી ઓછામાં ઓછા 45 થી 60 મિનિટ પછી પાણી પીવું જોઈએ. જો તમારે ભોજન કરતા પહેલા પાણી પીવું હોય તો અડધો કલાક પહેલા પાણી પીવું જોઈએ.
જમ્યા પછી યોગ્ય સમયે પાણી પીવાના 5 અદભૂત ફાયદા
જો તમે જમ્યાના એક કલાક પછી પાણી પીશો તો તમારું વજન કંટ્રોલમાં રહેશે અને તમે ક્યારેય સ્થૂળતાથી પીડાશો નહીં.
જમ્યા પછી યોગ્ય સમયે પાણી પીવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. પાચનતંત્ર મજબૂત બને છે.
જો તમે જમ્યા પછી યોગ્ય સમયે પાણી પીશો તો પેટમાં ગેસ અને એસિડિટી જેવી સમસ્યા નહીં થાય.
જ્યારે ખાધા પછી પાણી શરીરમાં મોડું પહોંચે છે ત્યારે શરીર ખોરાકના પોષક તત્વોને સારી રીતે શોષી શકશે.
જમ્યાના એક કલાક પછી પાણી પીવાથી ઊંઘ સારી આવે છે અને ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)