શોધખોળ કરો

Health : ચા શોખિન છો અને તેના નુકસાનથી બચવા ઇચ્છો છો તો આ રીતે કરો tea તૈયાર

આજકાલ મસાલા ચાને 'અનહેલ્ધી હોટ ડ્રિંક'ની શ્રેણીમાં રાખવામાં આવી રહી છે અને તે સ્વાસ્થ્ય માટે ખરાબ હોવાનું કહેવાય છે. હવે સવાલ એ થાય છે કે શું સ્વસ્થ રહેવા માટે દૂધની ચા છોડવી જરૂરી

Health:આજકાલ મસાલા ચાને 'અનહેલ્ધી હોટ ડ્રિંક'ની શ્રેણીમાં રાખવામાં આવી રહી છે અને તે સ્વાસ્થ્ય માટે ખરાબ હોવાનું કહેવાય છે. હવે સવાલ એ થાય છે કે શું સ્વસ્થ રહેવા માટે દૂધની ચા છોડવી જરૂરી છે?

દુનિયામાં ટી લવર્સની કમી નથી. મોટાભાગના દેશોમાં દિવસની શરૂઆત ચાથી જ થાય છે.  ભારતમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. અહીં મસાલા ચા પીનારાઓની સંખ્યા ઘણી છે. લોકો તેમની ચાના સ્વાદને વધારવા માટે દૂધ, આદુ, એલચી,  મરી મસાલા નાખે  છે. જો કે, ચા પીવાની પ્રથા સદીઓ પહેલા શરૂ થઈ હતી. જો કે, આજકાલ મસાલા ચાને 'અનહેલ્ધી હોટ ડ્રિંક'ની શ્રેણીમાં રાખવામાં આવી રહ્યું છે અને તે સ્વાસ્થ્ય માટે ખરાબ હોવાનું કહેવાય છે. હવે સવાલ એ થાય છે કે શું સ્વસ્થ રહેવા માટે દૂધની ચા છોડવી જરૂરી છે?

ડાયેટિશિયન રિદ્ધિમા બત્રાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે મસાલા ચા સાથે સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે, જે ઘણીવાર લોકો દ્વારા ઉઠાવવામાં આવે છે.

મસાલા ચા સ્વાસ્થ્ય માટે સારી કે ખરાબ?

જો તમે ચાના શોખીન છો અને તેને છોડી શકતા નથી, તો મસાલા ચા તમારા માટે શ્રેષ્ઠ છે. મસાલા ચામાં તજ, કાળા મરી, એલચી, આદુ સહિતના ઘણા સ્વાસ્થ્ય લાભદાયી ઘટકો ઉમેરવામાં આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. સ્વસ્થ પાચનમાં મદદ કરે છે. ઉર્જા વધારવા અને સોજાને  ઘટાડવામાં પણ મદદરૂપ છે. એટલું જ નહીં, તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે.

કઈ વનસ્પતિ અને મસાલા રોગપ્રતિકારક શક્તિ વધારે છે?

લીલી ઈલાયચી, તજ, કાળા મરી, આદુ, લવિંગ,  જેવા જડીબુટ્ટીઓ અને મસાલા રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જો તમે તમારી ચામાં આ જડીબુટ્ટીઓ અને મસાલાઓનો સમાવેશ કરો છો, તો તમારી ચા હેલ્ધી ટી બની શકે છે.

એક દિવસમાં કેટલા કપ ચા પી શકાય?

જો કે, લોકો એક દિવસમાં 4-5 કપ ચા પીવે છે, જે સ્વાસ્થ્ય માટે સારી નથી. ચામાં ખાંડ ઉમેરવામાં આવતી હોવાથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવતી નથી. કારણ કે વધુ પડતી ખાંડને કારણે ડાયાબિટીસ સહિત અનેક બીમારીઓનું જોખમ વધી શકે છે. જો તમે ચા પીને સ્વસ્થ રહેવા માંગતા હોવ તો દિવસમાં 1-2 કપથી વધુ ચા ન પીવો. એ પણ સુગર વિનાની

ચા પીવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે?

ખોરાક ખાધાના બે કલાક પછી ચા પીવાનો આદર્શ સમય છે. ધ્યાનમાં રાખો કે ચા અથવા કેફીન આધારિત પીણાં ક્યારેય ખાલી પેટે ન પીવા જોઇએ. કારણ કે કેફીન પેટમાં એસિડ બનાવવાનું કામ કરે છે, જેના કારણે એસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન, એસિડિટી, અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય ચા નાસ્તો કે અન્ય કોઈપણ ખાદ્યપદાર્થ સાથે પીવાનું ટાળો. કારણ કે ચામાં ટેનીન નામનું કેમિકલ કમ્પાઉન્ડ હોય છે, જે પોષક તત્વોને શોષવામાં મુશ્કેલી બનાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget