શોધખોળ કરો

Health tips: જો આપને આ 5 બીમારીઓ છે તો સાવધાન, ભૂલથી પણ ન કરો ઘીનું સેવન, થઇ શકે છે નુકસાન

ઘી વિટામિન્સ, ઓમેગા ફેટી એસિડ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. પરંતુ શું આપ જાણો છો કે કેટલાક લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે.

Health tips: ઘીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. દાળમાં ટેમ્પરિંગ હોય કે રોટલીમાં ઘી, દરેક ઘરમાં તે  રસોઇમાં  વપરાઇ છે. ઘી વિટામિન્સ, ઓમેગા ફેટી એસિડ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. પરંતુ શું આપ જાણો છો કે કેટલાક લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે. હા, સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, કેટલીક ગંભીર બીમારીઓથી પીડિત લોકોએ ઘીનું સેવન ન કરવું જોઈએ. કયા લોકોએ ઘી ખાવાનું ટાળવું જોઈએ, જણાવીએ...

દૂધની એલર્જી

ઘી એ ડેરી પ્રોડક્ટ હોવાથી, દૂધથી એલર્જી ધરાવતા લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ અથવા તેનું  થોડી  માત્રામાં સેવન કરવું જોઈએ. ઘીનું સેવન કરવાથી ફોલ્લીઓ, શિળસ, ઉલટી કે ઝાડા જેવા લક્ષણો થવાની સંભાવના છે.

હૃદય રોગી

ઘીમાં ઓક્સિડાઇઝ્ડ કોલેસ્ટ્રોલ હોય  છે, જે હૃદયની બીમારીઓ સહિત વિવિધ રોગોનું જોખમ વધારી શકે છે. તેમાં ફેટી એસિડની હાજરી હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

યકૃત રોગ

પરંતુ જો તમને પહેલેથી જ લીવર સંબંધિત બિમારીઓ જેવી કે કમળો, ફેટી લીવર, જઠરાંત્રિય દુખાવો છે, તો તમારે ઘી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જો કે ઘીનું ઓછી માત્રામાં સેવન કરવાથી લીવરની સમસ્યા નથી થતી.

મેદસ્વી લોકો

જો તમે ડાયટ પર હોવ તો દિવસમાં બે ચમચી ઘીનું સેવન કરવું ઠીક છે. પરંતુ જો તમે તેનું સેવન વધારશો તો તેનાથી વજન વધી શકે છે. ઘીમાં કન્જુગેટેડ લિનોલીક એસિડ (CLA) હોય છે, જે લોકોને વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ તેમ છતાં તે કેલરીથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે અને વધુ પડતા સેવનથી વજન પણ વધી શકે છે.

પાચન સમસ્યાઓ

ઘી પચવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી, જો તમે નિયમિતપણે અપચો, પેટનું ફૂલવું અથવા કબજિયાત જેવી પાચન સમસ્યાઓથી પીડાતા હોવ, તો તમારે તેને ટાળવું જોઈએ અથવા સાવધાની સાથે તેનું સેવન કરવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓને ઘીનું સેવન ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેઓ વારંવાર અપચો અને પેટનું ફૂલવાની સમસ્યાથી પિડાઇ છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget