![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jaggery Tea: એનિમિયાની સમસ્યાને દૂર કરી વેટ લોસમાં મદદ કરે છે ગોળની ચા, જાણો ફાયદા અને તેને બનાવાની સાચી રીત..
Gud Ki Chai Ke Fayde: શિયાળામાં ગોળની ચાનું સેવન કરવાથી વ્યક્તિની સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ કે ગોળની ચા પીવાથી વ્યક્તિને શું ફાયદા થાય છે અને કેવી રીતે બને છે.
![Jaggery Tea: એનિમિયાની સમસ્યાને દૂર કરી વેટ લોસમાં મદદ કરે છે ગોળની ચા, જાણો ફાયદા અને તેને બનાવાની સાચી રીત.. Jaggery Tea (Gud Ki Chai): Benefits and Side Effects Jaggery Tea: એનિમિયાની સમસ્યાને દૂર કરી વેટ લોસમાં મદદ કરે છે ગોળની ચા, જાણો ફાયદા અને તેને બનાવાની સાચી રીત..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/03/5d53281db40d9bf171d173062679c403167272259914581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Health Benefits Of Gud Wali Chai: દિવસભરનો થાક દૂર કરવા અથવા ઠંડી સામે રક્ષણ મેળવવા ચા પીવાના શોખીન લોકોને ચા પીવાનું બહાનું જોઈએ. પરંતુ ચામાં વધુ પડતી ખાંડ તમારા સ્વાસ્થ્યને ઘણી વખત નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં ગોળની ચા તમારા સ્વાસ્થ્ય માટે સારો વિકલ્પ બની શકે છે. ગોળમાં પ્રોટીન, વિટામીન B12, કેલ્શિયમ, આયર્ન, વિટામીન સી જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. ગોળમાં વોર્મિંગ અસર હોય છે. જે શરીરને ગરમ રાખવામાં મદદ કરી શકે છે. શિયાળામાં ગોળની ચાનું સેવન કરવાથી વ્યક્તિની સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ કે ગોળની ચા પીવાથી વ્યક્તિને શું ફાયદા થાય છે અને ગોળની ચા કેવી રીતે બને છે.
એનિમિયા
એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ઉણપમાં ગોળની ચાનું સેવન ફાયદાકારક છે. ગોળની ચામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે લાલ રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે. જેનાથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને એનિમિયા અટકાવે છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક
જો તમારે વજન ઓછું કરવું હોય તો ગોળની ચા લો. ખાંડની ચા પીવાથી શરીરમાં ચરબી વધે છે. પરંતુ ગોળની ચા પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
પાચનતંત્ર મજબૂત બને છે
ગોળની ચાનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે. જો તમે ગોળની ચાનું નિયમિત સેવન કરો છો તો તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી છુટકારો મેળવે છે.
માઈગ્રેનની સમસ્યાથી છુટકારો મેળવો
જો તમને માઈગ્રેન કે માથાનો દુખાવો હોય તો તમે ગોળની ચા લઈ શકો છો. ગોળની ચામાં આવા ઘણા પોષકતત્વો જોવા મળે છે જે માઈગ્રેનને દૂર કરવામાં ઉપયોગી છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
ગોળમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
ગોળની ચા કેવી રીતે બનાવવી?
ગોળની ચા બનાવવા માટે એક પેનમાં દોઢ કપ પાણી ઉકાળો. જ્યારે પાણી બરાબર ઉકળે ત્યારે તેમાં એલચી, આદુ, તજ અને ચાની પત્તી નાખીને પાણી ઉકાળો. પાણી ઉકાળ્યા પછી તેમાં દૂધ ઉમેરો અને ચાને ઉકાળો.ત્યારબાદ ચા નીચે ઉતારો. તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં ગોળ મિક્સ કરો અને તેને ગાળી લીધા પછી ચા પીવો. ધ્યાન રાખો, ગોળ નાખીને ચા ઉકાળો નહીં, નહીં તો ચા ફૂટી જશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)