શોધખોળ કરો

Red eyes cause: કેમ થઈ જાય છે લાલ આંખો? જાણો કારણ અને લક્ષણો

Red eyes cause: ઘણીવાર આપણી આંખો લાલ થઈ જાય છે અને આંખોમાંથી પાણી વહેવા લાગે છે. જો કે આવું કેમ થાય છે તેની પાછળનું કારણ બહુ ઓછા લોકો જાણતા હોય છે

Red eyes cause: જો વ્યક્તિ વારંવાર ધૂળ અથવા ધુમાડાના સંપર્કમાં આવે છે.  તો તેનાથી આંખોમાં બળતરા અને ખંજવાળ આવે છે, જેના કારણે આંખો લાલ થઈ જાય છે. આંખોમાં અમુક પ્રકારની એલર્જીના કારણે આંખો પણ લાલ થવા લાગે છે, પરંતુ જો આંખો લાલ થવાની સાથે જ તમને બળતરા અથવા પાણીયુક્ત પીળા સ્રાવનો અનુભવ થતો હોય તો આ બાબત વધુ ગંભીર બની શકે છે.

ઘણીવાર આપણે મોડી રાત સુધી જાગતા રહીએ છીએ, પછી આપણી આંખો લાલ થઈ જાય છે. શરીરના વધુ પડતા થાકને કારણે ક્યારેક આંખો લાલ થઈ જાય છે. લાલ આંખ અથવા આંખનો ચેપ ખૂબ જ સામાન્ય બની ગયો છે, કેટલીકવાર બેક્ટેરિયા અને વાયરસના કારણે આંખો લાલ થઈ જાય છે. કેટલાક લોકો લાલ આંખની અવગણના કરે છે અને તેના પર ધ્યાન આપતા નથી. આવી સ્થિતિમાં, આંખમાં વધુ સમસ્યાઓ થઈ શકે છે, જે આંખના સ્વાસ્થ્ય માટે સારી નથી. તો ચાલો જાણીએ આંખો લાલ થવાનું કારણ શું છે? આ વિશે નેત્ર ચિકિત્સક પાસેથી જાણો.

નિષ્ણાતો શું કહે છે?

ડો. નિસા અસલમ, કન્સલ્ટન્ટ, ગોલ્ડન આઇ, જે આઇ ડ્રોપ્સ બનાવે છે તેમનું કહેવું છે કે લાલ આંખ અથવા આંખમાં ચેપ ખૂબ જ સામાન્ય બની ગયો છે. આજે 10 માંથી એક દર્દી આંખની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. આંખો લાલ થવાના ઘણા કારણો છે, કેટલીકવાર તે સામાન્ય હોય છે, જ્યારે કેટલીકવાર ડૉક્ટરની મદદ લેવી પડે છે. ડો.નિસા અસલમના જણાવ્યા અનુસાર, ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ લાલ આંખોનું કારણ હોઈ શકે છે.

 

1. સંક્રમણ

આંખોમાં કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થાય તો આંખો લાલ થઈ જાય છે. વાયરસના ચેપને કારણે લાલ આંખોમાંથી પાણી વહેવા લાગે છે. બીજી તરફ બેક્ટેરિયાના કારણે આંખો લાલ થવાથી પીળાશ પડતું પાણી આવવા લાગે છે.

2. કોવિડ-19

ડો. નિસા અસલમ કહે છે કે કોવિડ, જે સામાન્ય રીતે ફેફસાં અને હૃદયના ચેપ સાથે સંકળાયેલા હોય છે, તે આંખના ચેપનું કારણ પણ બની શકે છે. કોવિડ-19 આંખોમાંથી ઘૂસીને મગજ સુધીપહોંચી શકે છે. આંખોની લાલાશ પણ કોવિડની આડ અસર હોઈ શકે છે.

3. બ્લેફેરિટિસ

બ્લેફેરીટીસ એ આંખોનો રોગ છે. આ રોગ બેક્ટેરિયાના કારણે થાય છે. ક્યારેક ખોટી કે એક્સપાયર થઈ ગયેલી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ બ્લેફેરાઈટિસનું કારણ બની શકે છે. જેના કારણે આંખના પોપચામાં સોજો આવે છે. બ્લેફેરીટીસને કારણે આંખો પણ લાલ થઈ શકે છે.

4. એલર્જી

જ્યારે આંખોમાં કોઈપણ પ્રકારની એલર્જી હોય તો આંખો લાલ પણ થઈ શકે છે. પોલેનની એલર્જી તાવને કારણે ઘણી વખત આંખો લાલ થઈ જાય છે. પોલેન અનર્જી સામાન્ય રીતે ફૂલો દ્વારા ઉત્પાદિત પરાગમાંથી આવે છે.

5. કોન્ટેક્ટ લેન્સ

આંખોમાં કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતા પહેલા તેને સાફ કરવામાં આવતો નથી જેના કારણે ઈન્ફેક્શન થવાની શક્યતા રહે છે. તાજેતરના સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે લેન્સના વારંવાર ઉપયોગ અને તેને રાત્રે પણ પહેરવાથી, વ્યક્તિને અકાન્થામોઇબા કેરાટાઇટિસ રોગ થવાનું જોખમ રહેલું છે. કેરાટાઇટિસ કોર્નિયાની બળતરાનું કારણ બને છે. કેરાટાઈટીસ રોગ ક્યારેક અંધત્વનું કારણ પણ બને છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ડોકટરોનું કહેવું છે કે લાલ આંખની સારવારમાં કોઈ ઢીલ ન રાખવી જોઈએ. આંખોને સારી રીતે સાફ કરતા રહો. આંખોને સ્પર્શતા પહેલા હાથને સારી રીતે ધોઈ લો. એન્ટીબેક્ટેરિયલ આંખના ટીપાંનો ઉપયોગ કરો. તેનાથી આંખોને આરામ મળશે અને આંખોની લાલાશ ઓછી થશે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વર્ષ વિત્યુ, વેદના યથાવતHun To Bolish : હું તો બોલીશ : મોતના માફિયાને કોઈ બચાવતા નહીંRs 300 Crore Scam: રાજકોટમાં BZ જેવું કૌભાંડ !  8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા!Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Embed widget