શોધખોળ કરો

Sleepiness After Eating Rice: ભાત ખાધા પછી તમને ઊંઘ કેમ આવે છે, શું છે તેની પાછળનું વિજ્ઞાન?

Digestion And Sleepiness: શું ભાત ખાધા પછી તમારી આંખો પણ ભારે થવા લાગે છે અથવા કામ કરતી વખતે તમને અચાનક ઊંઘ આવે છે? ઘણા લોકો ભાત ખાધા પછી સુસ્તી અને ઊંઘ અનુભવે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાતમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ શુગર વધારી શરીરમાં સુસ્તી લાવે છે.
  • ઉચ્ચ ગ્લાયસેમિક ઇન્ડેક્સને કારણે ઝડપથી પાચન થવાથી ઊંઘ આવે છે.
  • ઇન્સ્યુલિન વધવાથી ટ્રિપ્ટોફેન ઊંઘના હોર્મોન્સ સક્રિય કરે છે.
  • વધુ પડતા ભાત અને ભારે ભોજનથી પાચનતંત્ર પર દબાણ આવે.

Digestion And Sleepiness: બપોરના ભોજનમાં ભાત) ખાધા પછી જો તમારી આંખો ભારે થવા લાગે અથવા કામની વચ્ચે અચાનક ઊંઘ આવવા લાગે, તો આવું માત્ર તમારી સાથે જ નથી થતું. ઘણા લોકો ભાત ખાધા પછી સુસ્તી અને આળસ અનુભવે છે. અવારનવાર આને સામાન્ય બાબત સમજીને અવગણવામાં આવે છે, પરંતુ આની પાછળ શરીરમાં થતી કેટલીક સાયન્ટિફિક (વૈજ્ઞાનિક) પ્રક્રિયાઓ કામ કરે છે.

 

શા માટે ઊંઘ આવવા લાગે છે?

ડાયેટ સાથે જોડાયેલા વિષયો પર માહિતી આપતી વેબસાઇટ Muditam ના એક્સપર્ટના જણાવ્યા અનુસાર, સફેદ ચોખામાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધુ હોય છે. જ્યારે આપણે ભાત ખાઈએ છીએ, ત્યારે શરીર તેને ગ્લુકોઝમાં બદલી નાખે છે, જેનાથી બ્લડમાં શુગરનું સ્તર ઝડપથી વધે છે. શરૂઆતમાં આનાથી એનર્જી મળે છે, પરંતુ થોડા સમય પછી આ એનર્જી અચાનક ઓછી થવા લાગે છે. આ જ કારણે ઘણા લોકોને થાક અને ઊંઘનો અનુભવ થાય છે.

આ પણ વાંચો...Weather Update: ભારે પવન અને વાવાઝોડા સાથે 13 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 

સફેદ ચોખાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ પ્રમાણમાં ઊંચો હોય છે. એનો અર્થ એ છે કે તે શરીરમાં ઝડપથી પચે છે અને બ્ડ શુગરને જલ્દી વધારે છે. જ્યારે શુગરનું સ્તર ઝડપથી વધ્યા પછી નીચે આવે છે, ત્યારે શરીરમાં સુસ્તી અનુભવાઈ શકે છે.

શરીરમાં ઇન્સ્યુલિન પણ વધે છે

ભાત ખાધા પછી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર પણ વધે છે. ઇન્સ્યુલિન બ્લડમાં રહેલી શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન 'ટ્રિપ્ટોફેન' નામનું એમિનો એસિડ બ્રેઈન (મગજ) સુધી વધુ માત્રામાં પહોંચી શકે છે. ટ્રિપ્ટોફેન સેરોટોનિન અને મેલાટોનિન જેવા હોર્મોન્સના નિર્માણમાં મદદ કરે છે, જે મૂડ અને ઊંઘને નિયંત્રિત કરવા માટે જાણીતા છે. આ જ કારણ છે કે ભાત ખાધા પછી ઘણા લોકોને આરામ કરવાનું કે સૂઈ જવાનું મન થાય છે.

કેટલું ખાઓ છો તે પણ મહત્વનું છે

તમે કેટલી માત્રામાં ખોરાક લો છો તે પણ આમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે એકસાથે બહુ વધારે ભાત ખાઈ લો છો અથવા તેની સાથે ભારે અને તળેલી વસ્તુઓ ખાઓ છો, તો પાચનતંત્ર પર વધારાનું દબાણ પડે છે. આનાથી શરીરની ઉર્જા (એનર્જી) પાચન પ્રક્રિયામાં વધુ ખર્ચાય છે અને થાક અનુભવાઈ શકે છે.

જોકે, ભાત ખાધા પછી આવતી ઊંઘ એ કોઈ બીમારી નથી, પરંતુ જો તે તમારા રોજના કામકાજને પ્રભાવિત કરવા લાગે તો ડાયેટમાં થોડા ફેરફાર મદદરૂપ સાબિત થઈ શકે છે:

  • ભાતની માત્રા મર્યાદિત રાખો.

  • ભોજનમાં દાળ, પનીર, ઇંડા કે અન્ય પ્રોટીનયુક્ત વસ્તુઓ સામેલ કરો.

  • આ સાથે જ ફાઇબરથી ભરપૂર શાકભાજી ખાવાથી બ્લડ શુગરનું સ્તર સંતુલિત રહે છે.

  • ભોજન કર્યા પછી 10 થી 15 મિનિટ સુધી હળવું વૉકિંગ પણ ફાયદાકારક માનવામાં આવે છે.

Disclaimer: આ માહિતી રિસર્ચ સ્ટડીઝ અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. તેને મેડિકલ સલાહનો વિકલ્પ ન ગણવો. કોઈ પણ નવી પ્રવૃત્તિ કે કસરત અપનાવતા પહેલા તમારા ડોક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

ભાત ખાધા પછી ઊંઘ કેમ આવે છે?

સફેદ ચોખામાં કાર્બોહાઇડ્રેટ વધુ હોય છે, જે ગ્લુકોઝમાં બદલાઈ બ્લડ શુગર ઝડપથી વધારે છે. પછી શુગરનું સ્તર ઘટતાં થાક અને સુસ્તી અનુભવાય છે, કારણ કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઊંચો હોય છે.

ભાત ખાવાથી ઇન્સ્યુલિન અને ઊંઘનો શું સંબંધ છે?

ભાત ખાધા પછી ઇન્સ્યુલિન વધે છે, જે ટ્રિપ્ટોફેનને મગજ સુધી પહોંચાડે છે. ટ્રિપ્ટોફેન સેરોટોનિન અને મેલાટોનિન જેવા ઊંઘ નિયંત્રક હોર્મોન્સ બનાવવામાં મદદ કરે છે, તેથી ઊંઘ આવે છે.

ભોજનની માત્રા ઊંઘ પર કેવી રીતે અસર કરે છે?

જો તમે વધારે ભાત કે ભારે ખોરાક ખાઓ છો, તો પાચનતંત્ર પર વધુ દબાણ આવે છે. આનાથી શરીરની ઉર્જા પાચનમાં વધુ ખર્ચાય છે અને થાક તેમજ ઊંઘનો અનુભવ થાય છે.

ભાત ખાધા પછી આવતી સુસ્તી ઘટાડવા શું કરવું જોઈએ?

ભાતની માત્રા મર્યાદિત રાખો અને ભોજનમાં પ્રોટીનયુક્ત વસ્તુઓ તેમજ ફાઇબરવાળા શાકભાજી ઉમેરો. ભોજન કર્યા પછી 10-15 મિનિટ હળવું ચાલવું પણ ફાયદાકારક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget