શોધખોળ કરો

Winter: શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા જો આ ઉપાય કરતા હોવ તો ચેતજો...

શિયાળાની શરૂઆત મોડી થઇ છે. પરંતુ રાજ્યમાં કડકતી ઠંડીની શરુઆત થઇ ગઈ છે . લોકો કડકડતી ઠંડીથી બચવા માટે તાપણું કરતા હોય છે. લોકો સગડી, કોલસો, છાણા અને લાકડાંને સળગાવીને તાપણાંનો આનંદ લે છે.

શિયાળાની શરૂઆત મોડી થઇ છે. પરંતુ રાજ્યમાં કડકતી ઠંડીની શરુઆત થઇ ગઈ છે . લોકો કડકડતી ઠંડીથી બચવા માટે તાપણું કરતા હોય છે. લોકો સગડી, કોલસો, છાણા અને લાકડાંને સળગાવીને તાપણાંનો આનંદ લે છે. આ વસ્તુઓથી રાહત તો થાય છે પરંતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ છે. 

કોલસાથી કરવામાં આવેલું તાપણું બને છે નુકશાનકારક

કોલસો અથવા લાકડાને સળગાવવાથી તેના ધુમાડામાં કાર્બન બહાર આવે છે. આ કાર્બન શ્વાસ દ્વારા શરીર સુધી પહોંચે છે, જેનાથી હિમોગ્લોબિન પરમાણુઓને અવરોધે છે અને શરીરની સમગ્ર ઓક્સિજન પરિવહન પ્રણાલીને અસર કરે છે. ઓક્સિજનની અછતને કારણે શરીરના કોષો મૃત્યુ પામે છે. કેટલાક લોકોને માથાનો દુખાવો, ચક્કર અને શ્વાસની તકલીફ જેવી સમસ્યાઓ હોય છે.

અસ્થમા અને હૃદયના દર્દીઓએ ન કરવું તાપણું

કોલસાની ગરમી અસ્થમા અને હૃદયના દર્દીઓને વધુ નુકસાન પહોંચાડે છે. જેના કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ થઇ જાય છે અને હૃદયને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી શકતું નથી અને હાનિકારક પદાર્થો શરીર સુધી પહોંચે છે.

શરીરમાં થઇ શકે છે ઓક્સિજનની અછત 

શરીરમાં નોર્મલ બ્લડ ફ્લો માટે જરૂરી છે કાર્બન રિલીઝ થાય અને પૂરતો ઓક્સિજન પૂરો પાડવામાં આવે. શિયાળા દરમિયાન કોલસાની ગરમીને કારણે કાર્બન મોનોક્સાઇડનો મોટો જથ્થો છોડવાનું શરૂ કરે છે જે સીધા શરીરમાં પહોંચે છે. કાર્બન મોનોક્સાઇડ પણ જીવલેણ બની શકે છે. જે મગજ માટે પણ હાનિકારક સાબિત થઇ શકે છે. જો મગજને ઓક્સિજન ન મળે તો ઘણી માનસિક સમસ્યાઓ થઈ શકે છે.

ચામડીની સમસ્યા

કેટલીકવાર લોકો કલાકો સુધી તાપણાની સામે બેસે છે અને સમય જોતા નથી. ત્યારબાદ અચાનક તેમને દાઝવાનો અનુભવ થાય છે ત્યાં સુધીમાં તો શરીર પર લાલાશ જોવા મળે છે. ઘણી વખત લોકો હીટરથી રૂમને ગરમ કરે છે. જેના કારણે રૂમમાં વધુ પ્રમાણમાં કાર્બન ભેગો થઇ જાય છે. સૂતી વખતે રૂમનો દરવાજો ખોલો અને સૂઈ જાઓ. કોલસાની આગ એકદમ મજબૂત છે જે ત્વચાને ઝડપથી બાળી નાખે છે. તો કોલસાથી બાળકોને વધુ નુકસાન થાય છે કારણકે બાળકોની ત્વચા સેન્સેટિવ હોય છે.

રક્તકણોની અછત 

શરીરમાં હિમોગ્લોબિનનું પૂરતું પ્રમાણ હોવું જરૂરી છે. હિમોગ્લોબિનમાં ઘટાડો થવાને કારણે શરીરમાં લોહીનું પ્રમાણ ઘટે છે. જ્યારે લોહીનું પ્રમાણ ઘટે છે ત્યારે એનિમિયાનું જોખમ વધે છે. એનિમિયા કેટલાક કિસ્સાઓમાં જીવલેણ પણ સાબિત થઈ શકે છે. પુરુષોમાં સામાન્ય રીતે હિમોગ્લોબિનનું સ્તર 13.5-17.5 ગ્રામ હોય છે. જ્યારે સ્ત્રીઓમાં, 12.0 - 15.5 ગ્રામ હિમોગ્લોબિન લેવલ સામાન્ય માનવામાં આવે છે. ખૂબ લાંબા સમય સુધી તાપણું તાપવાથી, કાર્બન મોનોક્સાઇડ ફેફસાં સુધી પહોંચે છે અને લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે અને હિમોગ્લોબિનનું લેવલ ઘટવાનું શરૂ થાય છે. લોહીમાં મોનોક્સાઇડ વધે છે જે સ્વાસ્થ્ય માટે અલાર્મ બેલ સમાન છે.

શું છે તાપણાની સાચી રીત?

ક્યારે પણ બંધ રૂમમાં તાપણું કરવાની ભૂલ ન કરો. બંધ રૂમમાં તાપણું કરવાથી રૂમમાં ગભરામણ થાય છે તો કયારેક માણસનું મોત પણ થઇ શકે છે. ખુલ્લા વરંડા અથવા સહેજ હવાની અવરજવરવાળી જગ્યાએ તાપણું કરો. જેથી ધુમાડાથી નુકસાન ન થાય.

તો તાપણાની ખૂબ નજીક ન બેસો. તાપણાને કારણે આંખોમાં ધુમાડો દેખાય છે અને આંખોમાં શુષ્કતાની સમસ્યા છે. તાપણાથી અંતર રાખીને બેસો અને લાંબા સમય સુધી તાપણાની સામે ન રહો.

Disclaimer: આ લેખ ફક્ત ધારણાઓ અને માહિતી પર આધારિત છે. આ બબાતે  ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
સવારે માત્ર 10 મિનિટનો આ યોગ બદલી નાખશે તમારો દિવસ, એનર્જી, ફોકસ અને ફિટનેસ ત્રણેયમાં થશે ફાયદો
સવારે માત્ર 10 મિનિટનો આ યોગ બદલી નાખશે તમારો દિવસ, એનર્જી, ફોકસ અને ફિટનેસ ત્રણેયમાં થશે ફાયદો
શું સ્વાસ્થ્ય માટે ખરેખર ખતરનાક છે અજીનોમોટો? જાણો કેટલા સેવનથી શરીરને થાય છે નુકસાન
શું સ્વાસ્થ્ય માટે ખરેખર ખતરનાક છે અજીનોમોટો? જાણો કેટલા સેવનથી શરીરને થાય છે નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
Embed widget