કાર પાલનપુરથી અમદાવાદ તરફ આવી રહી હતી તે દરમિયાન કારનું ટાયર ફાટતાં સામેથી આવી રહેલ લક્ઝરી બસ સાથે અથડાઈ હતી જેના કારણે કાર અંદાજે 10 ફૂટ જેટલી ઘસડાઈ હતી. જ્યારે આ અકસ્માતમાં સાત લોકોનાં મોત નિપજ્યાં હતાં. જેમાં બ્રિજેશ અને ગોપાલ બંન્ને સગા ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતાનું એક વર્ષ પહેલા જ નિધન થયું હતું.
4/7
આ અકસ્માતમાં બ્રિજેશ સંજય કાકડીયા, ગોપાલ સંજય કાકડીયા (નિકોલ-અમદાવાદ), મોનાંગ કિશોરભાઈ જાદવાની (માંડવા ભાવનગર), દિવ્યપાલસિંહ ઝાલા (પીઆઈનો પુત્ર), આદિત્ય જયેશ પટેલ ( અમદાવાદ) સહિત સાત લોકોના મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતમાં મોત નિપજેલ પાંચ લોકોની ઓળખ થઈ ગઈ હતી જ્યારે અન્ય બે લોકોની ઓળખ થઈ નહોતી.
5/7
જેના કારણે કાર 10 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે જ કારમાં સવાર સાતેય યુવાનના મોત નિપજ્યાં હતાં. જ્યારે અકસ્માત થતાં જ લક્ઝરી બસમાં સવાર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
6/7
મોડીરાત્રે કાર પાલનપુરથી અમદાવાદ તરફ આવી રહી હતી આ કારમાં અમદાવાદના 7 યુવાનો સવાર હતાં. લક્ઝરી બસ અમદાવાદથી પાલનપુર તરફ જઈ રહી હતી તે દરમિયાન કારનું ટાયર ફાટતાં કાર ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલ લક્ઝરી બસમાં ઘૂસી ગઈ હતી
7/7
મહેસાણા: મોડી રાત્રે મહેસાણા-ઊંઝા હાઈવે પર કાર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર સાતેય લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસને જાણ થતાં મોડી રાત્રે ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ અકસ્માતમાં એક પીઆઈનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.