![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad: ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ રાજ્ય ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, સ્પીડ સેન્સર કરાશે ઈન્સ્ટોલ
અમદાવાદ ઇસ્કોન બ્રીજ પર સર્જાયેલા ભયંકર અકસ્માત બાદ રાજ્ય ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જાણીએ સ્પીડને લઇને શું કરાયો મહત્વનો નિર્ણય
![Ahmedabad: ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ રાજ્ય ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, સ્પીડ સેન્સર કરાશે ઈન્સ્ટોલ After the ISKCON bridge accident, an important decision of the gujarat state home department, speed sensors will be installed Ahmedabad: ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ રાજ્ય ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, સ્પીડ સેન્સર કરાશે ઈન્સ્ટોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/29/e39bac7947750c5bd2fdd3a0a44c2c2c169059799021881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ahmedabad: ઇસ્કોન બ્રીજ પર તથ્યપટેલે ઓવરસ્પીડ કાર ચલાવીને બ્રીજ પર એકઠા થયેલા 10 લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનાને લઇને હવે રાજ્ય ગૃહ વિભાગે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ ગૃહ વિભાગના નિર્ણય મુજબ SG હાઈવે પર CCTV અને સ્પીડ સેન્સર ઈન્સ્ટોલ કરવામાં આવશે.
આગામી સપ્તાહથી આ અંગે સર્વે શરૂ કરવામાં આવશે. જેનો રિપોર્ટ આવ્યા બાદ પાંચથી છ મહિનામાં કામગીરી પૂર્ણ થશે. ઉલ્લેખનિય છે કે, અકસ્માત બાદ જાણવા મળ્યુ હતું કે, એસ જી હાઇવે પર સીસીટીવી કેમેરાનું સેટઅપ લગાવાયું નથી . એટલું જ એસ જી હાઇવે નિયમિત રીતે સામાન્ય કરતા વધારે સ્પીડમાં વાહનો ચલાવવામાં આવે છે. જે અનુસંધાને રાજ્યના ગૃહવિભાગે તાત્કાલિક સંલગ્ન તંત્રને એસ જી હાઇવે પર સીસીટીવી ઇન્સ્ટોલ કરવા તેમજ સ્પીડ મેપીંગ સેન્સર લગાવવાની કામગીરી શરૂ કરવા માટે સુચના આપી છે.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં હાલના સૌથી ચર્ચિત તથ્ય પટેલ અકસ્માત કેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના જીવ લીધા છે, અને બેફામ ગાડી ચલાવીને અવારનવાર ચર્ચામાં રહેનારો તથ્ય પટેલ કોઇ એક ગુનાનો આરોપી નથી, તેના પર એકથી વધુ ગુના પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં તથ્ય પટેલની સાથે સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને બન્ને પર ચાર્જશીટ દાખલ થઇ ચૂકી છે. જોકે
, આ બધાની વચ્ચે છ મહિના પહેલા ગાંધીનગરમાં તથ્ય પટેલે કરેલા કાર અકસ્માતને લઇને સનસનીખેજ ઓડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્ર તથ્ય પટેલના એકસ્માતને વ્યાજબી અને યોગ્ય ઠેરવી રહ્યાં છે, તેમના મતે આવા અકસ્માતો તો થયા કરે, ટેન્શન ના લેવાનું હોય. હાલમાં વાયરલ થયેલી એક ઓડિયો ક્પિલમાં સાંભળી શકાય છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ કોઇને કહી રહ્યાં છે કે, 'આજીવન કંઇ નઇ થાય.... આવું તો ઠોકાય હવે ગાડી તો ઠોકાય ને... 19 - 20 વરસના છોકરાઓથી આવું કોક દીવસ થઇ જાય હવે.. એમાં કંઇ બહુ ટેન્શન નઇં કરવાનું......... ' - હાલમાં જે ઓડિયો ક્લિપ સામે આવી છે તે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના નામથી વાયરલ થઇ રહી છે. આ ક્લિપ ગાંધીનગરમાં તથ્ય પટેલે એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી તે સમયની હોવાની પણ વાત સામે આવી છે. એબીપી અસ્મિતા ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)