શોધખોળ કરો

Ahmedabad: કોરોના બાદ આ રોગે ઉંચક્યું માથું, જાણો વિગત

Ahmedabad News: એક સમયે કોરોનાનું એપી સેન્ટર રહેલા અમદાવાદમાં છેલ્લા બે મહિનાથી ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય બિમારીઓએ માથું ઉંચક્યું છે.

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના બાદ વધુ એક રોગચાળાએ માઝા મુકી છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસની ગતિમાં ઘટાડો થયો છે અને એક તબક્કે એપ્રિલમાં જ્યાં દરરોજના ૧૪ હજારથી વધુ કેસ નોંધાતા હતા ત્યાં હવે સપ્ટેમ્બરમાં હજુ સુધી કુલ ૩૯૨ કેસ સામે આવ્યા છે. એક સમયે કોરોનાનું એપી સેન્ટર રહેલા અમદાવાદમાં છેલ્લા બે મહિનાથી ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય બિમારીઓએ માથું ઉંચક્યું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં હાલ દાખલ થયેલા દર્દીઓમાંથી ૩૦% ડેન્ગ્યુ-ચિકનગુનિયાના છે અને આ પૈકી ૧૫% તો આઇસીયુમાં સારવાર હેઠળ છે.

અમદાવાદમાં ગત સમગ્ર વર્ષ દરમિયાન ડેન્ગ્યુના ૪૨૩ અને ચિકનગુનિયાના ૯૨૩ કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે અત્યારસુધી ડેન્ગ્યુના ૧૧૫૦થી વધુ જ્યારે ચિકનગુનિયાના ૬૦૦થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુમાં ચાર ગણો અને ચિકનગુનિયામાં બે ગણો વધારો થયો છે. ગત સમગ્ર વર્ષે મલેરિયાના ૪૩૬ કેસ હતા જ્યારે આ વર્ષે ૬૨૫થી વધુ લોકો મલેરિયાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં ફાલ્સિપેરમના ૩૫ કેસ હતા અને તે આ વર્ષે વધીને ૫૩ થયા છે જ્યારે ટાઇફોઇડના કેસ ગત વર્ષે ૯૬૫ હતા તે આ વર્ષે વધીને ૧૪૬૪ સામે આવ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં મચ્છરજન્ય રોગના પ્રમાણમાં ૩૦%નો વધારો નોંધાયો છે.

જનરલ પ્રેક્ટિસનરોના મતે, 'આ વર્ષે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધારે નોંધાઇ રહ્યા છે. આ ઉપરાંત અનેક દર્દી વાયરલ ફિવરની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. પ્લેટલેટ્સમાં ભારે ઘટાડો થવો તે ડેન્ગ્યુની મહત્વની નિશાની છે. કોઇ દર્દી એક દિવસ કરતાં વધુથી તાવ અને શરીરમાં કળતરની ફરિયાદ સાથે આવે તો તેને અમે ડેન્ગ્યુ-ચિકનગુનિયાના ટેસ્ટ કરાવવાનું સૂચન આપીએ છીએ. '

 ચિકનગુનિયામાંથી સાજા થયેલા અનેક દર્દીઓને એક-એક ડગલું માંડવામાં કે પથારીમાંથી બેઠા થવાની પણ ફરિયાદ મળી રહી છે. આ અંગે એક જાણીતા ડોક્ટરે જણાવ્યું કે, 'અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં હાલ ૩૦%થી વધુ દર્દી ડેન્ગ્યુ-ચિકનગુનિયાની સારવાર લઇ રહ્યા છે. એટલું જ નહીં ડેન્ગ્યુ-ચિકનગુનિયાની ઝપેટમાં આવનારા મોટાભાગના યુવાનો જ હોય છે. ચિકનગુનિયા બાદ પૂરતી તકેદારી રાખવામાં આવે તો ૧૫ દિવસમાં પૂરી રીક્વરી આવી શકે છે. પરંતુ તકેદારી રાખવામાં ન આવે તો સંપૂર્ણપણે રીક્વરી આવવામાં બે-ત્રણ મહિના જેટલો સમય લાગે છે. '

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget