શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદ રથયાત્રામાં થયેલ દુર્ઘટના મામલે CMએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતક અને ઇજાગ્રસ્ત માટે સહાયની કરી જાહેરાત

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રથયાત્રા દરમિયાન દૂર્ઘટના સર્જાઈ હતી.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રથયાત્રા દરમિયાન દૂર્ઘટના સર્જાઈ હતી. મળતી જાણકારી અનુસાર,  ભગવાન જગન્નાથના રથ નિજ મંદિર પહોંચે તે અગાઉ એક મકાનની ગેલેરી તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયુ હતુ જ્યારે 31 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
Ahmedabad: અમદાવાદ રથયાત્રામાં થયેલ દુર્ઘટના મામલે CMએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતક અને ઇજાગ્રસ્ત માટે સહાયની કરી જાહેરાત

રથયાત્રાના રૂટ પર મકાનની બાલ્કની તૂટવાની દૂર્ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ દુર્ઘટનામાં સરકારે સહાયની જાહેરાત કરી હતી. ઘટનામાં મૃતકના પરિવારજનને ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની સરકારે જાહેરાત કરી હતી. અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા પસાર થતી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. કડિયા નાકા વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થયો હતો.તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની 2 ગાડી સાથે ટીમ સ્થળ પર પહોંચી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં  આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે ત્રણ માળના જર્જરિત મકાનની બંન્ને ગેલેરીમાં દર્શનાર્થીઓ ઉભા રહીને રથયાત્રા જોઇ રહ્યા હતા. દરમિયાન સૌથી ઉપરના માળની ગેલેરી તૂટી પડતા ગેલેરીમાં ઉભા તમામ લોકો નીચે પટકાયા હતા. એટલુ જ નહી ગેલેરી તૂટી પડતા તેની નીચે ઉભેલા લોકો પણ કાટમાળ પડ્યો હતો. કેટલાક લોકો કાટમાળની નીચે દબાઇ જતા સ્થાનિકો અને પોલીસે તરત જ તેમની મદદ કરી હતી અને તમામ લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. દુર્ઘટનામાં કુલ 31 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલોમાં મોટાભાગના લોકોને ફ્રેક્ચર અને કરોડરજ્જુમાં ઈજા છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. અને  મૃતકના પરિવારજનને 4 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને   વાજતે ગાજતે ભગવાનના રથ નીજ મંદિરમાં પરત ફર્યા હતા. 18 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.

રથયાત્રામાં હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 3D મેપિંગ અને ડ્રોન સર્વેલન્સ સાથે રથયાત્રા નીકળી હતી.  દરેક સ્થળ અને જગ્યા પરથી પોલીસ દ્વારા સતત રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી હતી. ભગવાનના ત્રણેય રથ ખેંચવા માટે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાયા હતા. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget