શોધખોળ કરો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, રીલીફ રોડ ઈલેક્ટ્રોનિક્સ હબ પર મોટી રેડ

Ahmedabad: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ હાલમાં રીલીફ રોડ પરના દુકાનોના વિસ્તારમાં મોટા પાયે દરોડા પાડી રહી છે. આ વિસ્તાર મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને સેકન્ડ હેન્ડ સાધનોને યોગ્ય બિલ કે દસ્તાવેજો વગર ગેરકાયદેસર રીતે વેચવા માટે જાણીતું કેન્દ્ર છે.

Ahmedabad: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ હાલમાં રીલીફ રોડ પરના દુકાનોના વિસ્તારમાં મોટા પાયે દરોડા પાડી રહી છે. આ વિસ્તાર મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને સેકન્ડ હેન્ડ સાધનોને યોગ્ય બિલ કે દસ્તાવેજો વગર ગેરકાયદેસર રીતે વેચવા માટે જાણીતું કેન્દ્ર છે. ચાલુ ઓપરેશનમાં અનધિકૃત રીતે સિમ કાર્ડનું વિતરણ, જે ફરજિયાત ચકાસણી વગર કરવામાં આવે છે, તેને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લેવાયેલું આ સક્રિય પગલું આગામી ૨૭ જૂને યોજાનારી રથયાત્રા પહેલા વધેલી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને છે. સત્તાવાળાઓનો હેતુ આવા હિસાબ વગરના સામાનના વેચાણમાં સામેલ નેટવર્કને તોડી પાડવાનો છે, જેનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા જાહેર વ્યવસ્થાને ખોરવવા અથવા ધાર્મિક શોભાયાત્રા દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે થઈ શકે છે.

ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,અમારા અધિકારીઓ સ્થળ પર છે અને દુકાનોની પદ્ધતિસર તપાસ કરી રહ્યા છે અને યોગ્ય કાગળો વગરનો સામાન જપ્ત કરી રહ્યા છે. મુખ્ય ઉદ્દેશ્ય બિલ વગરના ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને સિમ કાર્ડના પ્રસારને અંકુશમાં લેવાનો છે, જે ખાસ કરીને રથયાત્રા જેવા મોટા જાહેર કાર્યક્રમો નજીક આવી રહ્યા હોવાથી નોંધપાત્ર સુરક્ષા જોખમ ઊભું કરે છે.

આ દરોડાનો મુખ્ય ઉદ્દેશ્ય આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓને ઓળખવા અને પકડવાનો છે, જેથી નાગરિકો માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરી શકાય અને આ વસ્તુઓના કોઈપણ સંભવિત દુરુપયોગને અટકાવી શકાય. ઓપરેશન પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવશે.

જગન્નાથજીની 148મી રથયાત્રા માટે જળયાત્રાનો શુભારંભ

અમદાવાદમાં 148મી રથયાત્રા માટેના પરંપરાગત વિધિ વિઘાન શરૂ થઇ ગયા છે. આજે જલયાત્રાથી તેનો શુભારંભ શરૂ થઇ ગયો છે. 14 ગજરાજ અને હાથી, ધજા-પતાકા સાથે યાત્રા સાબરમતી નદી કિનારે જવા નીકળી છે. સાબરમતી સોમનાથના આરે  જળયાત્રા પહોંચશે. સાબરમતી નદીમાં કરવામાં પહેલા  ગંગા પૂજન કરવામાં આવશે. 108 કળશમાં  સાબરમતી નદીનું પાણી લાવવામાં આવશે. સવારે 10 વાગ્યે ભગવાનનો મહાજળાભિષેક કરવાનું શુભ મૂહૂર્ત છે. બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન છે.

રથયાત્રા પહેલા જળયાત્રાનું શું છે મહત્વ

વર્ષોથી પરંપરાગત રીતે અમદાવાદામાં અષાઢી બીજે  જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. આ પહેલા દર વર્ષે વિધિવત જળયાત્રા યોજાઇ છે. દર જેઠ સુદ પૂનમે   108 કળશની જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે.  આ જલયાત્રા સવારે મંદિરથી શરૂ થાય છે. જેમાં ગજરાજા અને 108 કળશ લઇને મહિલાઓ રથયાત્રામાં જોડાઇ છે. આ યાત્રા  સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચે છે. ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવે છે. બાદ 108 કળશમાં સાબરમતીની જળભરીને વાજતે ગાજતે  યાત્રા ફરી મંદિર પહોંચે છે અને બાદ ભગવાનનો દૂધ કેસર પંચામૃતથી સ્નાન કરાવીને જલાભિષેક કરાવાયા છે.

આ જલયાત્રા અંગે મહારાજ દિલીપ દાસે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના પવિત્ર અવસર પહેલા જ જલયાત્રા મહોત્સવ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન જગન્નાથને સાબરમતી નદીના પાણીથી ભરેલા 108 કળશમાં સ્નાન કરાવવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. આ ઉત્સવનું આયોજન અનેક ભક્તો, સંતો, મહંતો અને રાજ્યના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી રહ્યું છે.

ભગવાનના સ્વાગત માટે આંબેડકર હોલથી ભગવાન રણછોડ રાય મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેમાં લગભગ ત્રણ હજાર લોકો ભાગ લઇ રહ્યાં છે. મંદિરની આસપાસના રસ્તાઓ પર સુંદર રંગોળી બનાવવામાં આવી છે.ભગવાન જગન્નાથ, તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિઓ દર્શન માટે મંદિરમાં રાખવામાં આવશે. ભક્તો દૂર દૂરથી તેમના દર્શન માટે આવશે. ભગવાન 15 દિવસ સુધી સરસપુરમાં રહેશે, જે દરમિયાન રણછોડ રાય મંદિરમાં દરરોજ ભજન કીર્તન થશે.                          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget