શોધખોળ કરો

અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત

Mahavir Singh Sindhav: બોપલના ફ્લેટમાં પાડોશી સાથે ડખો થયા બાદ પોલીસ આવી જતાં ભાગવા ગયેલા મહાવીરસિંહનો પગ લપસ્યો; લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે પણ નામ જોડાયેલું હતું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદના બોપલમાં મહાવીરસિંહ સિંધવ ચોથા માળેથી પટકાતા મૃત્યુ.
  • નશામાં પાડોશી સાથે ઝઘડો કરી પોલીસથી ભાગતા પગ લપસી ગયો.
  • તેનો લોરેન્સ બિશ્નોઈ ગેંગ, ડ્રગ્સ નેટવર્ક સાથે કનેક્શનનો આરોપ.
  • બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Mahavir Singh Sindhav: અમદાવાદના વૈભવી ગણાતા બોપલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન અને ડ્રગ્સ નેટવર્કની આશંકા ધરાવતો કુખ્યાત મહાવીરસિંહ સિંધવ ગઈકાલે સોમવારે (8 જૂન) રાત્રે બોપલના 'અક્ષર લકઝૂરીયા' ફ્લેટમાં ચોથા માળેથી નીચે પટકાતા મોતને ભેટ્યો છે. નશાની હાલતમાં પાડોશી સાથે ઝઘડો કર્યા બાદ, સ્થાનિકોએ પોલીસ બોલાવતા પકડાઈ જવાની બીકે ભાગવા જતાં મહાવીરસિંહનો પગ લપસી ગયો હતો અને તે નીચે પટકાયો હોવાનો પોલીસે દાવો કર્યો છે. આ મામલે બોપલ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પાડોશી સાથે બોલાચાલી થઈ અને પીસીઆર વાન પહોંચી

પોલીસ તપાસમાંથી મળતી વિગતો મુજબ, સુરેન્દ્રનગરના ચોકડી ગામનો વતની અને માથાભારે ભૂતકાળ ધરાવતો મહાવીરસિંહ સિંધવ તાજેતરમાં જ બોપલના અક્ષર લકઝૂરીયા ફ્લેટમાં રહેવા આવ્યો હતો. સોમવારની રાત્રે મહાવીરસિંહે નશાની હાલતમાં પાડોશમાં રહેતા મુરત સોલંકી નામના વ્યક્તિ સાથે કોઈ બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. તેના આતંકથી કંટાળીને ફ્લેટના લોકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર 112 પર ફોન કરીને જાણ કરી હતી, જેથી પોલીસની પીસીઆર વાન તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.

પોલીસને જોઈને ભાગવા ગયો ને ખેલ ખતમ થઈ ગયો

સ્થાનિક લોકોએ પોલીસને બોલાવતા જ મહાવીરસિંહ ગભરાઈ ગયો હતો. પોલીસ પકડી જશે તેવા ડરથી બચવા માટે તેણે ચોથા માળે ગેલેરી કે અગાસીના ભાગેથી ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અચાનક તેનો પગ લપસી ગયો અને તે સીધો ચોથા માળેથી નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી નીચે પડવાના કારણે તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

દેવાયત ખવડના ડાયરામાં 10 કારના કાફલાથી આવ્યો હતો લાઈમલાઈટમાં

મહાવીરસિંહ સિંધવ અગાઉ આર્મીમાં હતો, પણ નોકરી છોડ્યા બાદ તે ગુનાખોરીની દુનિયામાં ધકેલાયો હતો. તેના વિરૂદ્ધ ભૂતકાળમાં લૂંટ અને ગુજસીટોક જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2020માં લોકસાહિત્યકાર દેવાયત ખવડના એક ડાયરામાં મહાવીરસિંહ 10 લક્ઝુરિયસ કારોના કાફલા સાથે પહોંચ્યો હતો અને લાખો રૂપિયાનો વરસાદ કરીને અચાનક ચર્ચામાં આવ્યો હતો.

પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે

આ તરફ મૃતકના પરિજનો અને મિત્રોએ જણાવ્યું કે, તેમને આજે વહેલી સવારે મળસ્કે આ ઘટનાની જાણ થઈ હતી, જેથી તેઓ તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ મહાવીરસિંહને મૃત જાહેર કર્યો હતો. બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ સુનિલ ચૌધરીએ જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શીઓના નિવેદન મુજબ મહાવીરસિંહ પોલીસથી બચવા ભાગતી વખતે જાતે જ લપસીને નીચે પડ્યો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે મોકલી દેવાયો છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ વધુ સ્પષ્ટ થશે.

Frequently Asked Questions

મહાવીરસિંહ સિંધવનું મૃત્યુ કેવી રીતે થયું?

તેઓ અમદાવાદના બોપલમાં આવેલા અક્ષર લકઝૂરીયા ફ્લેટના ચોથા માળેથી નીચે પટકાતા તેમનું મોત થયું. પોલીસના જણાવ્યા મુજબ, તેઓ નશાની હાલતમાં પોલીસથી બચવા ભાગતી વખતે લપસી પડ્યા હતા.

મહાવીરસિંહ સિંધવ કોણ હતા અને તેમનો ભૂતકાળ કેવો હતો?

તેઓ સુરેન્દ્રનગરના વતની હતા અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન ધરાવતા હતા. તેમના પર લૂંટ અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને તેઓ અગાઉ આર્મીમાં પણ હતા.

મહાવીરસિંહ સિંધવ કઈ પરિસ્થિતિમાં નીચે પટકાયા?

પાડોશી સાથે નશાની હાલતમાં ઝઘડો કર્યા બાદ, પોલીસે આવતા પકડાઈ જવાની બીકે તેઓ ચોથા માળેથી ભાગવાનો પ્રયાસ કરતા લપસી પડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના નિવેદન મુજબ, તેઓ જાતે જ લપસીને નીચે પડ્યા.

આ ઘટના અંગે કોઈ તપાસ ચાલી રહી છે?

હા, બોપલ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે અને રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Advertisement

વિડિઓઝ

Viramgam Murder Case : વિરમગામમાં પતિની પત્નીએ પુત્ર સાથે મળીને કરી નાંખી હત્યા, કારણ જાણી ચોંકી જશો
Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ
Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત
PM Modi : PM મોદી તોડશે નેહરુનો રેકોર્ડ, દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો બનશે રેકોર્ડ
H1B Visa News : અમેરિકામાં કરિયર બનાવવા માગતા ભારતીયો માટે ખુશીના સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઇ ટ્રમ્પે કર્યુ મોટું એલાન, બોલ્યા- 'આગામી બે અઠવાડિયામાં...'
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઇ ટ્રમ્પે કર્યુ મોટું એલાન, બોલ્યા- 'આગામી બે અઠવાડિયામાં...'
River Cleaning: કોઈ નદીને સ્વચ્છ કરવાની શું હોય છે પ્રક્રિયા, તેના પર કેટલો આવે છે ખર્ચ?
River Cleaning: કોઈ નદીને સ્વચ્છ કરવાની શું હોય છે પ્રક્રિયા, તેના પર કેટલો આવે છે ખર્ચ?
Embed widget