શોધખોળ કરો

Vijay Rupani Funeral: આજે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાશે, સાંજે અંતિમ સંસ્કાર, અમિત શાહ થશે સામેલ

Vijay Rupani Funeral: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના નિધન બાદ રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે રૂપાણીના માનમાં 16 જૂને એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે

Vijay Rupani Funeral: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં કરુણ મોત થયું હતું. જેમાં તેમના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે તેમના પરિવારને તેમને પાર્થિવ દેહ સોંપવામાં આવશે, આજે સવારે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઇ જવામાં આવશે અને સાંજે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે.

મહત્વનું છે કે, અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. 12 જૂને બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઇ હતી જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા જ્યારે આ દૂર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની ગણતરીની સેકન્ડોમાં જ બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સિવાય મેડિકલ હોસ્ટેલની મેસમાં રહેલા તેમજ આસપાસ રહેતા કેટલાક લોકોના પણ મોત થયા હતા.  

પૂર્વ સીએમ વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર -

16 જૂન, સોમવાર – અંતિમ વિદાયનો દિવસ
સવારના 11:00 વાગે વિજયભાઈ રૂપાણીના પાર્થેવ દેહને ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સીવીલ હોસ્પિટલ તરફ લઇ જવામાં આવશે.
સાંજના 11:30 વાગ્યે દેહનો સ્વીકાર અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે થશે.
11:30 થી 12:30 દરમિયાન પાર્થેવ દેહ સીવીલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ તરફ રવાના થશે.
12:30 વાગે એરપોર્ટ પરથી હવાઈ માર્ગે રાજકોટ માટે ફ્લાઇટ લેશે.
બપોરે 2:00 વાગ્યે દેહ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે.
ત્યારબાદ 2:00 થી 4:00 દરમિયાન વિશિષ્ટ રૂટ મારફતે પાર્થેવ દેહ રાજકોટ નિવાસસ્થાન તરફ લઈ જવાશે – જેમાં ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ આશ્રમ, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ, પુજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ, કેસરીહિંદ પુલ અને અન્ય મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે.
4:00 થી 5:00 – જાહેર દર્શન
રાજકોટ નિવાસસ્થાન (પૂજિત, પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સામે) ખાતે પાર્થેવ દેહના જાહેર દર્શન માટે વ્યવસ્થા કરાશે. લોકોએ તેમના નેતાને અંતિમ વિદાય આપી શકે તે માટે આ સમય નક્કી કરાયો છે.
5:00 થી 6:00 – અંતિમયાત્રા
નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન યાત્રા હાથ ધરવામાં આવશે. માર્ગમાં નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર સહિતના ચોક પાસેથી પસાર થવાનું આયોજન છે.
17 જૂન, મંગળવાર – શ્રદ્ધાંજલિ સભા, રાજકોટ
સમય: સાંજે 3:00 થી 6:00
સ્થળ: રેસકોર્સ મેદાન, રાજકોટ
રાજકોટમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિકારાઓની હાજરી માટે વિશાળ સભાની તૈયારી છે.
19 જૂન, ગુરુવાર – શ્રદ્ધાંજલિ સભા, ગાંધીનગર
સમય: સવારે 9:00 થી 12:00
સ્થળ: હૉલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર

ઉલ્લેખનીય છે કે તેમના આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ અને જાહેર સહયોગ માટે વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી છે. અંતિમ સંસ્કાર વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ રહી શકે છે. આ ઉપરાંત રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ અને વિજયના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

રૂપાણીના નિધન બાદ એક દિવસનો રાજ્યવ્યાપી શોક
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના નિધન બાદ રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે રૂપાણીના માનમાં 16 જૂને એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.શોકના આ દિવસ દરમિયાન, રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ ઉપરાંત, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે રાજકોટ ખાતે કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
Advertisement

વિડિઓઝ

Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર
Vitamin B12 ની ઉણપથી ચહેરા પર જોવા મળે છે આ ગંભીર સમસ્યાઓ, આજે જ તેના વિશે જાણી લો
Vitamin B12 ની ઉણપથી ચહેરા પર જોવા મળે છે આ ગંભીર સમસ્યાઓ, આજે જ તેના વિશે જાણી લો
કેન્સરની શરુઆત પહેલા જ શરીરમાં જોવા મળે છે આ બદલાવ,  આ રીતે તમારી જાતે ચેક કરી લો
કેન્સરની શરુઆત પહેલા જ શરીરમાં જોવા મળે છે આ બદલાવ, આ રીતે તમારી જાતે ચેક કરી લો  
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ
Embed widget