શોધખોળ કરો

અમદાવાદઃ બોપલમાં યુવકની પ્રેમપ્રકરણમાં હત્યાની આશંકા, જાણો શું છે વિગત

અમદાવાદના બોપલમાં થયેલી હત્યામાં પ્રેમપ્રકરણ હોવાની શંકા. પોલીસે શકમંદની શોધખોળ શરૂ કરી.

અમદાવાદઃ બોપલ વિસ્તારમાં 23 વર્ષનાં એક યુવકની હત્યા કરેલી હાલતમા લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. જોકે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે . મૃતક યુવાન મોડી રાત્રે ઘરેથી નીકળ્યો અને તેનુ અપહરણ કર્યા બાદ હત્યા થઈ હોવાનુ સામે આવી રહ્યું છે. પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. બોપલ સ્ટર્લિંગ સિટીનાં ગેટની અંદરનાં ભાગે ફક્ત 20 ડગલાં દુર મયંકગિરી ગોસ્વામીની લાશ મળી આવી હતી. વહેલી સવારે સિકયોરીટી ગાર્ડની નજર પડતાં જ તેણે પોલીસને આ બાબતની જાણ કરી હતી. ઘટના સ્થળે પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી અને સંબંધિત પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કર્યુ છે. મયંકગીરી બોપલમાં તેનાં પિતરાઇ ભાઇને ત્યાં રહેતો હતો અને ગઇકાલે રાત્રે 11 વાગ્યા સુધી તે પોતાનાં ઘરે જ હતો, પરંતુ મોડી રાત્રે તે ક્યારે ઘરેથી નીકળ્યો તે કોઇને ખબર નહોતી. સવારે ફોન આવતાં પરિવારજનોને ઘટનાની જાણ થઇ હતી. પરિવારજનોનાં કહેવા મુજબ શું કારણ હોઇ શકે તેની હાલ તેમને ખબર નથી. ઘટના મોડી રાત્રે બની હોઇ શકે છે, કારણ કે મૃતક મયંકગિરીને પગ અને માથાનાં ભાગે ઇજાઓ છે. પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાની જાણ થયા બાદ તેની માતાને જાણ થતાં જ તે હોસ્પીટલમાં બેહોશ થઇ ગયા. પરિવારમાં મૃતક મયંકગિરી સિવાય તેની એક બહેન છે. મયંક બોપલની અદ્વેત હોસ્પિટલમાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હતો. આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું પોલીસ તપાસમા સામે આવ્યુ છે. સરસપુરનો એક યુવક શંકમદ હોવાથી તેની તપાસ શરૂ કરવામા આવી. ઉત્તરાયણનાં તહેવારનાં સમયે સામાન્ય રીતે રસ્તા પર અવર જવર ઓછી હોય છે અને કદાચ એ બાબતનો લાભ આરોપીઓએ લીધો હોઇ શકે છે.. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ વહેલી સવાર સુધી કોઇને આ બાબતની જાણ પણ ન થઇ. પોલીસને મૃતક મયંકગિરી ગોસ્વામીનું વાહન પણ હત્યાનાં સ્થળેથી થોડે દુર મળી આવ્યુ છે. સાથે જ પોલીસે સીસીટીવી ફુટેજ પણ એકત્ર કર્યા છે, જેનાથી પોલીસને તપાસમાં મદદ મળે. જો કે આ મામલે પ્રેમ પ્રકરણની આશંકા હોય તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.