અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
આ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યા 220 પર પહોંચી ગઈ છે.

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની ત્રીજી બેન્ચ આજે (16 ફેબ્રુઆરી) રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામ દાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી હતી. યુએસ એરફોર્સના C-17A ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા લાવવામાં આવેલા આ બેચમાં કુલ 112 ભારતીયો હતા. આ પહેલાં શનિવારે રાત્રે 11:30 વાગ્યે 116 ભારતીયોની બીજી બેચ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરી હતી. આ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યા 220 પર પહોંચી ગઈ છે.
અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોની ત્રીજી બેચ ઈન્ડિયા પહોંચી છે.જેમાં 33 ગુજરાતીઓ સહિત 112 લોકો છે. ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ થોડીવારમાં અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમૃતસરથી બે અલગ-અલગ ફ્લાઈટમાં ગુજરાતીઓને અમદાવાદ લવાશે. થોડીવારમાં આવનાર ફ્લાઈટમાં ડિપોર્ટ કરાયેલા ચાર ગુજરાતીઓ રહેશે. તો પોણા બે વાગ્યાની ફ્લાઈટમાં અન્ય 29 લોકોને લવાશે. ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં ડીંગુચા ગામના ત્રણ વ્યકિતનો પણ સમાવેશ કરાયો છે. એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામને બંદોબસ્ત સાથે વતન મોકલાશે.
ત્રીજી ફ્લાઈટમાં ભારત પરત આવેલા ગુજરાતીઓ
મિહિર પરથીજી ઠાકોર - ગુજરાત
લુહાર પૂજા ધવલભાઈ - જામનગર
રાણા સપનાબેન ચેતનભાઈ - પાલજ ગાંધીનગર
રાણા ચેતનભાઈ ભરતસિંહ - પાંસર ગાંધીનગર
રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ - ગાંધીનગર
રાણા અક્ષરાજ ચેતનસિંહ - રાંધેજા
પટેલ નિત તુષારભાઈ - ગુજરાત
પટેલ દીપ ઘનશ્યામભાઈ - વડવાસા મહેસાણા
પટેલ ચિરાગ શૈલેષકુમાર - ઘુમાસાણ
પ્રજાપતિ અનિલ ભીખાભાઈ - વીલા
પ્રજાપતિ આરવ અનિલકુમાર - ગોઝારિયા
પ્રજાપતિ દ્રષ્ટિ અનિલકુમાર - ગોઝારિયા
પટેલ રાજેશ બળદેવભાઈ - ઘુમાસાણ
પટેલ મંજુબેન રાજેશભાઈ - ભરુચ
પટેલ માહી રાજેશભાઈ - અમદાવાદ
પટેલ હરમીરાજેશકુમાર - અમદાવાદ
પટેલ હસમુખ રેવાભાઈ - ગુજરાત
રામી હિતેષભાઇ રમેશભાઈ- સુશીયા
ચૌધરી અંશકુમાર સુરેશભાઈ - ગુજરાત
પટેલ પ્રાંશ જયેશકુમાર - ડીંગુચા
પટેલ જયેશકુમાર ભોળાભાઈ - ડીંગુચા
પટેલ હિરલબેન જયેશકુમાર - ડીંગુચા
અમેરિકાએ જે 112 લોકોને પરત મોકલ્યા છે તેમાં હરિયાણાના 44,ગુજરાતના 33, પંજાબના 31, યુપીના 2, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 1-1નો લોકોનો સમાવેશ થાય છે. ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓને આજે એરપોર્ટ પર લાવવામાં આવશે. બે અલગ અલગ ફલાઇટમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામને પોલીસ બંદોબસ્ત સાથે વતન મોકલવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
