શોધખોળ કરો

મેગા રોડશોમાં મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું, - ભાજપ-કૉંગ્રેસને હરાવવા નહી, ગુજરાતને જીતાડવા આવ્યો છું

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો રોડ શો યોજાયો.

અમદાવાદ: અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો રોડ શો યોજાયો. નિકોલથી અરવિંદ કેજરીવાલનો રોડ શો શરૂ થયો. આ અંગે આમ આદમી પાર્ટીએ લખ્યું, “ગુજરાતમાં બદલાવનો શંખનાદ”. આ સાથે જ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલના રોડ શોમાં સમગ્ર ગુજરાતમાંથી આપ કાર્યકરો ઉમટી પડ્યાં છે.  આજે અમદાવાદના નિકોલ વિસ્તારમાં  મુખ્યમંત્રીએ રોડ શો યોજ્યો છે. આ રોડશોમાં મોટાપાયે લોકો ઉમટી પડ્યા છે. આપના નેતા ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ કેજરીવાલ અને ભગવંત માનની સાથે છે. 

આમ આદમી પાર્ટીના બંને નેતાની તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે. નિકોલથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રોડ શોને પગલે રૂટ પર તેમજ બંને નેતાનાં વાહન સાથે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  લોકો રોડ શો જોવા અગાશી પર ચડી ગયા છે. 

રોડશો શરૂ કરતા અરવિંદ કેજરીવાલે ઇન્ક્લાબ ઝિંદાબાદ અને ભારતમાતા કી જય ના નારા લગાવડાવ્યાં અને આ સાથે જ રોડશોમાં હાજર લોકોને પૂછ્યું ‘કેમ છો? ..મજામાં ? મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, નાની છોકરીની હાથમાં તિરંગો જોઈને દિલ ખુશ થઈ ગયું. અરવિંદ કેજરીવાલે રોડ શો દરમિયાન સંબોધન કરતા કહ્યું કે  મારે ભ્રષ્ટાચાર પૂરો કરવો છે. દિલ્હીમાં ભ્રષ્ટાચાર ખતમ કર્યો. દિલ્હીમાં પૈસા વગર કામ થાય છે. પંજાબમાં 10 દિવસમાં ભ્રષ્ટાચાર પૂરો કર્યો. મારે રાજનીતિ નથી કરવી. ગુજરાતમાં પૈસા માગે છે? પૂછતા જ લોકોએ હામાં જવાબ આપ્યો. કેજરીવાલે કહ્યું, 25 વર્ષથી ભાજપ છે છતાં ભ્રષ્ટાચાર દૂર નથી થયો. હું કોઈ પાર્ટીની બુરાઈ નથી કરતો. હું ભાજપ કે કોંગ્રેસને હરાવવા નહીં ગુજરાત અને ગુજરાતીઓને જીતાડવા આવ્યો છું.

આમ આદમી પાર્ટીના રોડશોમાં એક બાજું ગુજરાતના ગરબાની  તો બીજી બાજુ ડાંગ નૃત્ય પણ જોવા મળ્યું. રોડશોમાં કેજરીવાલ અને ભગવંત માનનું ડાંગ નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. અરવિંદ કેજરીવાલના રોડશોમાં ગુજરાતનું લોકનૃત્ય ગરબા પણ રજૂ કરવામાં આવ્યા છે. આનો એક વિડીયો આમ આદમી પાર્ટીએ એક વિડીયો શેર કર્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Embed widget