શોધખોળ કરો

Ahmedabad:  ગરબા બંધ કરાવવા જતા પોલીસ ઉપર હુમલો, 12ની ધરપકડ

સોમવારે વહેલી સવારના સમયે શાહીબાગમાં પોલીસ પર હુમલાની ઘટના બની હતી. દેવ દિવાળી નિમિતે યોજાયેલા ગરબા બંધ કરાવવા કોઈ જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કર્યો હતો.

અમદાવાદ:  સોમવારે વહેલી સવારના સમયે શાહીબાગમાં પોલીસ પર હુમલાની ઘટના બની હતી. દેવ દિવાળી નિમિતે યોજાયેલા ગરબા બંધ કરાવવા કોઈ જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કર્યો હતો. જેના પગલે પોલીસની ટીમ ગરબા બંધ કરાવવા ગઈ હતી. આ સમયે શાહીબાગ પોલીસના જવાનો પર 14થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. 

પોલીસે હુમલો, રાયોટિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.  પોલીસે 14 પૈકી 12 આરોપીની ધરપકડ કરી લીધી છે.  ધરપકડ કરાયેલા 12 પૈકી ત્રણ મહિલા આરોપી છે. પોલીસે તમામની ધરપકડ કરી રિમાંડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોલીસની ફરજમાં દખલગીરી કરીને પોલીસ પર હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. 

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો, અમદાવાદ શહેરના  શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલીમાં દેવદિવાળી નિમિતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબાની પરવાનગી શાહીબાગ પોલીસે 10 વાગ્યા સુધીની આપી હતી.  તેમ છતાં  લોકોએ વહેલી સવાર સુધી ગરબા ચાલુ રાખ્યા હતા. જેથી કોઈ સ્થાનિકે પોલીસને કંટ્રોલ રૂમમાં જાણ કરતા શાહિબાગ પોલીસની એક ટીમ સ્થળ પર પહોંચી હતી. ગરબા બંધ કરવા માટે પોલીસ પહોંચી  ત્યારે હીરાલાલ ચાલીના લોકોએ પોલીસને ગરબા બંધ કરવાનો ઇનકાર કરતા પોલીસે સાથે ઘર્ષણ શરુ કર્યું હતું. જેમાંથી ટોળું એકઠું થઇને પોલીસની ટીમ પર ઘાતકી હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં PCR ના ઈન્ચાર્જ ASI અરવિંદ ચાવડાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. 

પોલીસ પર હુમલાના કેસમાં શાહીબાગ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળું વિખેરી હુમલો કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને હુમલો અને રાયોટિગનો ગુનો નોંધીને 2 મહિલા સહિત 12 લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જ્યારે 2 આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે.

 શાહીબાગ પોલીસની ટીમ પર થયેલ હુમલામાં એક ASI અરવિંદ ચાવડાને હાથના ભાગે ફેક્ચર અને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં પોલીસ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. અસામાજિક તત્વો અને ગુનેગારોને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.  પોલીસ પર થયેલા હુમલાની ઘટના બાદ શાહીબાગ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Schemes For Daughters: દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Embed widget