શોધખોળ કરો

Ahmedabad:  ગરબા બંધ કરાવવા જતા પોલીસ ઉપર હુમલો, 12ની ધરપકડ

સોમવારે વહેલી સવારના સમયે શાહીબાગમાં પોલીસ પર હુમલાની ઘટના બની હતી. દેવ દિવાળી નિમિતે યોજાયેલા ગરબા બંધ કરાવવા કોઈ જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કર્યો હતો.

અમદાવાદ:  સોમવારે વહેલી સવારના સમયે શાહીબાગમાં પોલીસ પર હુમલાની ઘટના બની હતી. દેવ દિવાળી નિમિતે યોજાયેલા ગરબા બંધ કરાવવા કોઈ જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કર્યો હતો. જેના પગલે પોલીસની ટીમ ગરબા બંધ કરાવવા ગઈ હતી. આ સમયે શાહીબાગ પોલીસના જવાનો પર 14થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. 

પોલીસે હુમલો, રાયોટિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.  પોલીસે 14 પૈકી 12 આરોપીની ધરપકડ કરી લીધી છે.  ધરપકડ કરાયેલા 12 પૈકી ત્રણ મહિલા આરોપી છે. પોલીસે તમામની ધરપકડ કરી રિમાંડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોલીસની ફરજમાં દખલગીરી કરીને પોલીસ પર હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. 

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો, અમદાવાદ શહેરના  શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલીમાં દેવદિવાળી નિમિતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબાની પરવાનગી શાહીબાગ પોલીસે 10 વાગ્યા સુધીની આપી હતી.  તેમ છતાં  લોકોએ વહેલી સવાર સુધી ગરબા ચાલુ રાખ્યા હતા. જેથી કોઈ સ્થાનિકે પોલીસને કંટ્રોલ રૂમમાં જાણ કરતા શાહિબાગ પોલીસની એક ટીમ સ્થળ પર પહોંચી હતી. ગરબા બંધ કરવા માટે પોલીસ પહોંચી  ત્યારે હીરાલાલ ચાલીના લોકોએ પોલીસને ગરબા બંધ કરવાનો ઇનકાર કરતા પોલીસે સાથે ઘર્ષણ શરુ કર્યું હતું. જેમાંથી ટોળું એકઠું થઇને પોલીસની ટીમ પર ઘાતકી હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં PCR ના ઈન્ચાર્જ ASI અરવિંદ ચાવડાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. 

પોલીસ પર હુમલાના કેસમાં શાહીબાગ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળું વિખેરી હુમલો કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને હુમલો અને રાયોટિગનો ગુનો નોંધીને 2 મહિલા સહિત 12 લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જ્યારે 2 આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે.

 શાહીબાગ પોલીસની ટીમ પર થયેલ હુમલામાં એક ASI અરવિંદ ચાવડાને હાથના ભાગે ફેક્ચર અને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં પોલીસ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. અસામાજિક તત્વો અને ગુનેગારોને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.  પોલીસ પર થયેલા હુમલાની ઘટના બાદ શાહીબાગ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget