શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ
ગત 12મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસો 1030 નોંધાયા છે. જેની સામે 1317 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
![કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ Big relief for Ahmedabad in Covid-19 effect કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/19153322/Ahmedabad-corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેર એક્ટિવ કેસોમાં રાજ્યમાં નંબર વન હોવા છતા રાહતના સમાચાર એ છે કે, શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે અને હાલ, શહેરમાં કોરોનાના 2926 એક્ટિવ કેસો છે.
છેલ્લા એક જ અઠવાડિયામાં એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. વચમાં કેસો વધીને 3200ને પાર થઈ ગયા હતા. જેમાં ફરીથી ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો ગત 12મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસો 1030 નોંધાયા છે. જેની સામે 1317 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક અઠવાડિયામાં શહેરમાં કોરોનાથી કુલ 26 લોકોના મોત થયા છે.
આમ, જોઇએ તો છેલ્લા એક અઠવાડિયામાં 313 એક્ટિવ કેસો ઘટ્યા છે. જેને કારણે 3200થી વધુનો આંક ઘટીને 3 હજારની અંદર આવી ગયો છે, જે અમદાવાદ માટે મોટા રાહતના સમાચાર છે.
Date | case | discharge | death |
12-08-2020 | 147 | 211 | 4 |
13-08-2020 | 143 | 223 | 4 |
14-08-2020 | 149 | 232 | 4 |
15-08-2020 | 148 | 168 | 3 |
16-08-2020 | 149 | 162 | 4 |
17-08-2020 | 145 | 165 | 3 |
18-08-2020 | 149 | 156 | 4 |
Total | 1030 | 1317 | 26 |
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)