![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદના 24 સ્મશાનમાં લાગશે સીસીટીવી કેમેરા, જાણો પ્રશાસને કેમ કર્યો આ નિર્ણય
આ સાથે ખોખરા સ્મશાનમાં ઘટના સમયે કાર્યરત તમામ એજન્સીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
![અમદાવાદના 24 સ્મશાનમાં લાગશે સીસીટીવી કેમેરા, જાણો પ્રશાસને કેમ કર્યો આ નિર્ણય CCTV cameras will be installed in 24 crematoriums in Ahmedabad, know why the administration took this decision અમદાવાદના 24 સ્મશાનમાં લાગશે સીસીટીવી કેમેરા, જાણો પ્રશાસને કેમ કર્યો આ નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/11/f53dceaecc99d03c1e52c29a91c228341702268599221843_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ahmedabad News: અમદાવાદના ખોખરા સ્મશાનમાંથી દારૂ મળતા પ્રશાસન એક્શનમાં આવ્યું છે. શહેરમાં આવેલ 24 સ્મશાનમાં હવે લગાવવામાં આવશે સીસીટીવી કેમેરા. આ સાથે ખોખરા સ્મશાનમાં ઘટના સમયે કાર્યરત તમામ એજન્સીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જેમાં આલ્ફા ઇકવિપમેન્ટ, વિવેકાનંદ ગ્રામોદ્યોગ અને રાજપૂત સિક્યોરિટી એજન્સીનો સમાવેશ થાય છે. આ તમામ એજન્સીઓએ સમગ્ર ઘટના અંગે જવાબ આપવા માટે ફરજિયાત સૂચના આપવામાં આવી છે.
પાંચ કરોડના ખર્ચે બ્યૂટીફિકેશન થયેલા અમદાવાદના છારોડી તળાવની હાલત ખસ્તા
છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારે રાજ્યમાં આવેલા જુના અને મોટા તળાવો માટેનો લેક બ્યૂટીફિકેશન પ્રૉજેક્ટ શરૂ કર્યો છે, આ અંતર્ગત કેટલાય તળાવોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમદાવાદના છારોડી નજીક આવેલા છારોડી તળાવની હાલત જોઇને કહી શકાય છે કે, સરકારનો આ પ્રૉજેક્ટ અહીં નિષ્ફળ ગયો છે, કેમ કે આઠ મહિના પહેલા જ લોકાર્પણ થયેલું આ છારોડી તળાવ અત્યારે એકદમ સુકુ ભઠ હાલતમાં દેખાઇ રહ્યું છે.
અમદાવાદમાં ગોતા નજીક આવેલા છારોડી તળાવને લઇને નાગરિકોમાં અનેક સવાલો ઉઠ્યા છે, તંત્ર દ્વારા લેક બ્યૂટીફિકેશનનો પ્રૉગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ છારોડ તળાવમાં આ લેક બ્યૂટીફિકેશન પ્રૉગ્રામની ધજ્જીયાં ઉડી છે. ખાસ વાત છે કે સરકારના તળાવોના બ્યૂટીફિકેશન બાદ તેમના રાખરખાવ અને સમારકામમાં બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. હાલમાં જ 35 કરોડ લિટર જેટલું પાણી ભરેલું આ છારોડી તળાવ અત્યારે લગભગ સુકુ ભઠ્ઠ થઇ ગયુ છે. ખાસ વાત છે કે, આ છારોડી તળાવનું લોકાર્પણ આઠ મહિના પહેલા જ કરવામાં આવ્યુ હતુ, એટલે કે લોકાર્પણના આઠ જ મહિનામાં તળાવ લગભગ સૂકું ભઠ્ઠ થયું હોવાની સ્થિતિમાં છે. હાલમાં અહીં પાણીનું સ્તર ઘટતાં એકવા સાઇકલ પણ કાઢી લેવાઈ છે. આ છારોડી તળાવમાં લેક બ્યૂટીફિકેશનના પ્રૉગ્રામ અંતર્ગત તળાવના બ્યૂટીફિકેશન માટે 5 કરોડથી વધુનો ખર્ચ પણ થયો હતો, પરંતુ અત્યારે હાલત એકદમ ખરાબ છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રૉડ અને રસ્તાઓ પર જુદાજુદા કામો ચાલી રહ્યાં છે, આ અંતર્ગત હવે અમદાવાદ મ્યૂનિસિપલ કૉર્પોરેશને વધુ એક રૉડને બે મહિના માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. એએમસીએ બે મહિના સુધી શહેરમાં આવેલા આલ્ફા વન મૉલની પાછળના 132 ફૂટ રિંગ રૉડ તરફ જતા રોડ 19 ફેબ્રુઆરીથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે, આ રૉડ હવે આગામી 18 એપ્રિલ સુધી બંધ રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)