શોધખોળ કરો

ખેતી-બિનખેતી હતેુથી જમીનને જૂની શરતમાં ફરેવવાની પ્રક્રિયાને સરળ બનાવાઇ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે નવી શરતની જમીનને ખેતી-બિનખેતી હેતુથી જૂની શરતમાં ફેરવવાની પ્રક્રિયા સરળ બનાવી છે. જેમાં 5 કરોડ સુધીના મૂલ્યાંકનોના પ્રકરણોનો નિયમોનુસાર નિર્ણય કરી સંબંધિત અરજદારોને ૧૫ દિવસમાં જાણ કરાશે. મહેસૂલપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, નવી શરતની જમીનને ખેતી-બિનખેતી હેતુ માટે જૂની શરતમાં ફેરવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવાઇ છે. જેમાં પાંચ કરોડ સુધીના મૂલ્યાંકનોના પ્રકરણો રાજ્યકક્ષાએથી જે પરત કરાયા છે તેનો નિયમોનુસાર નિર્ણય કરીને નિકાલની જાણ અરજદારને ૧૫ દિવસમાં કરાશે. આ સંદર્ભે સંબંધિત કલેકટરોને જરૂરી સૂચનાઓ આપી દેવાઇ છે. જમીનની નવી શરતની ખેતીની જમીન ૧૫ વર્ષે આપોઆપ કોઇપણ પ્રિમિયમ લીધા વિના જૂની શરતમાં ફેરવી દેવાનો કાયદો છે, પરંતુ અમલ થતો નથી. ખેડૂતોને કલેકટર, મામલતદાર, તલાટી વગેરે જગ્યાએ અરજીઓ કરવી પડે છે. તેથી અરજી લીધા વગર તાત્કાલિક જૂની શરતમાં ફેરવી આપવાની વ્યવસ્થા ગોઠવવા અંગે ઘણા સમયથી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી. જેને ધ્યાને લઇને મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય કરાયો છે. હજુ પણ ઘણી બધી જગ્યાએ આવા હૂકમો મામલતદાર દ્વારા કરવામાં આવતા નથી તેવી રજૂઆતો થઇ રહી છે. તેને ધ્યાને લઇ નવી શરતની જમીનને જો ૩૧ ઓગષ્ટ ૧૬ના રોજ ૧૫ વર્ષ પૂરા થયા હોય તથા તો સંબંધિત મામલતદાર દ્વારા ૩૧ ડિસેમ્બર-૨૦૧૬ સુધીમાં શરત ભંગના કેસ નહીં હોય તો આપમેળે ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા અંગેના હુકમો કરવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારા હેઠળની ખેતીની જમીનોને ગ્રામ્ય વિસ્તારમાં કોઇપણ પ્રિમિયમ લીધા વિના તેમ જ ખેડૂત ખાતેદારની અરજી લીધા વિના સંબંધિત મામલતદારે જે જમીનને ૧૫ વર્ષ પૂરા થયા હોય અને કોઇપણ જાતનો શરત ભંગ ન હોય તો આપમેળે મામલતદારે હુકમો કરીને ખેતીના હેતુ માટે 4 જુલાઈ 2008ના ઠરાવ મુજબ જૂની શરતમાં ફેરવી આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Embed widget