શોધખોળ કરો

ગિરનારની ગોદમાં આવેલા આ પૌરાણિક મંદિર સાથે વિજય રૂપાણીને હતો ખાસ લગાવ, થોડા દિવસ પહેલા જ ગયા હતા દર્શને

જુનાગઢ: અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમા પૂર્વ સીએમ વિજય રુપાણીએ જીવ ગુમાન્યો છે. પૂર્વ સીએમના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ છે.

જુનાગઢ: અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમા પૂર્વ સીએમ વિજય રુપાણીએ જીવ ગુમાન્યો છે. પૂર્વ સીએમના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જેના પર દિવંગત વિજય રુપાણીને અત્યંત શ્રદ્ધા હતી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સાથે ખાસ લગાવ હતો. અતિ પ્રાચીન અને પૌરાણિક એવા ઇન્દ્રેશ્વર મહાદેવ પ્રત્યે તેઓ અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા.

જયારે વિજયભાઈ રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ વ્યક્તિગત રસ દાખવી અને પોતાના પ્રયાસોથી ઇન્દ્રેશ્વર મંદિરના પટાનગણમાં નવા બાંધકામના કામ મંજુર કરાવેલ હતા. અહીં તેઓએ ગૌશાળા અને હોલના નવા બાંધકામ માટે સરકારમાંથી કામ મંજૂર કરાવેલ હતી. અંદાજિત 4 કરોડની રકમનાં કામ મંજુર કરાવેલ જેમાં ગૌ શાળા, સત્સંગ હોલ,વિશ્રામ ગૃહનો સમાવેશ થાય છે. 


ગિરનારની ગોદમાં આવેલા આ પૌરાણિક મંદિર સાથે વિજય રૂપાણીને હતો ખાસ લગાવ, થોડા દિવસ પહેલા જ ગયા હતા દર્શને

મંદિરના મહંતે જણાવેલ કે, આ નવા બાંધકામના કામકાજ દરમિયાન તેઓ તેમની પાસે સતત જાણકારી મેળવતા અને અંગત રુચિ દાખવી કાર્યને પૂર્ણ કરાવેલ હતું. ઈન્દ્રેશ્વર મંદિરના પૂજારી રામદાસ બાપુ સાથે પણ તેઓને નિકટના સંબંધ હતા. ઇન્દ્રેશ્વર મંદિરના મહંત રામદાસ બાપુએ જણાવ્યું હતું કે તેઓ હજુ થોડા સમય પૂર્વે જ અહીં આવેલ હતા અને ઇન્દ્રેશ્વર મહાદેવના આશીર્વાદ લીધેલ હતા. તેઓએ જણાવેલ કે વિજયભાઈ રૂપાણીના નિધનની ખબર સાંભળી તેઓ સ્તબ્ધ થઇ ગયેલ હતા. આ ઉપરાંત ઇન્દ્રેશ્વર મંદિરના મહંતે વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ મળે અને સદ્દગતિ પ્રાપ્ત થાય તે માટે  ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી.

પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ

રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની  તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલમાં ભાજપના નેતા કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, મનીષ રાડીયા ત્યાં પહોંચ્યા છે. પ્રકાશ સોસાયટી ખાતે આવેલા નિવાસ સ્થાનના દરવાજા ખોલવામાં આવ્યા છે. DNA રિપોર્ટ બાદ પાર્થિવદેહને રાજકોટ લાવવામાં આવશે. રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડીથી પ્રકાશ સોસાયટી સુધી પાર્થિવદેહને લાવવામાં આવશે. જેનો રૂટ ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, રૈયા રોડ થઈ હનુમાન મઢીથી પ્રકાશ સોસાયટી નિવાસ સ્થાન સુધી પાર્થિવ દેહને લાવવામાં આવશે. પાર્થિવ દેહને નિવાસ સ્થાન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર રામનાથ સ્મશાન ખાતે કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget