શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં સાર્વજનિક ગણેશ મહોત્સવને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત
અમદાવાદમાં આ વખતે પંડાલ નહીં બાંધવા ગણેશ મહોત્સવ એસોસિએશને અપીલ કરી છે.
![અમદાવાદમાં સાર્વજનિક ગણેશ મહોત્સવને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત Ganesh Utsav 2020 : big news for Ahmedabad ganesh utsav અમદાવાદમાં સાર્વજનિક ગણેશ મહોત્સવને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/02164245/Ganesh.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં ગણેશ ઉત્સવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આ વખતે પંડાલ નહીં બાંધવા ગણેશ મહોત્સવ એસોસિએશને અપીલ કરી છે. ગણેશોત્સવમાં સોસાયટી દીઠ એક મૂર્તિ સ્થાપી શકાશે અને એક જ વ્યક્તિ આરતી કરી શકશે.
શહેરભરના 90 કારીગરોને માટીની મૂર્તિ જ તૈયાર કરવાનું કહેવાયું છે. તેમજ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે પ્રસાદ વિતરણ નહિ થાય. સુરતમાં પણ ગણેશ ઉત્સવ સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે કે, માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવી. ગલીમાં મંડપ બાંધવો નહીં, ઘરે ગણેશ સ્થાપના કરપી. ગણેશ ઉત્સવમાં વધારે ભીડ કરવી નહીં. એટલું જ નહીં, પૂજા અર્ચના કરતી વખતે સોશિયલ ડિસ્ટન્ટ જાળવવું અને સેવા કાર્ય કરવું.
મૂર્તિ વિસર્જનને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે કે, મૂર્તિનું વિસર્જન ભીડ વગર શેરીમાં જ કરવું. આખરી નિર્ણય પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ રહેશે. પોલીસ કમિશ્નરનું જાહેરનામું છે કે 2 ફૂટથી ઊંચી પ્રતિમાની સ્થાપના ન કરવી. જાહેર રોડ પર સ્થાપના ન કરવી. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)